સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રિયા ચક્રવર્તીની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રિયા પોતાને બચાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. પટનામાં પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસની ચાર લોકોની એક ટીમ મુંબઈ આવી હતી. જોકે, આ ટીમમાં એક પણ મહિલા ના હોવાથી રિયાની ટીમે એમ કહ્યું હતું કે મહિલા પોલીસ વગર કોઈ પણ મહિલાની પૂછપરછ થઈ શકે નહીં. આથી જ હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયા સાથે સવાલ-જવાબ કરશે.
ટીમે મહિલા પોલીસની ડિમાન્ડ કરી
ન્યૂઝ પેપર પ્રભાત ખબર પ્રમાણે, મુંબઈ આવેલી પટનાની ટીમે રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે વાત કરી હતી. SSP ઉપેન્દ્ર કુમાર શર્મા સાથે મુંબઈ આવેલા પોલીસ અધિકારીએ વાત કરી હતી. તેમણે મહિલા પોલીસને મુંબઈ મોકલવાની માગણી કરી હતી. આ દરમિયાન પટના પોલીસની ટીમે સુશાંતના નોકર દિપેશ મરિન્ડા તથા ગાર્ડની પૂછપરછ કરી હતી. મહિલા પોલીસની ટીમ આવ્યા બાદ રિયાની પૂછપરછ કરવામાં આવશે. રિયાને એ સવાલ પણ કરવામાં આવશે કે સુશાંત જે સિમ કાર્ડનો ઉપયોગ કરતો તે બદલીને નવું સિમ આપવામાં આવ્યું તે કોના નામે લેવામાં આવ્યું હતું.
સુશાંતના પિતાના વકીલ કેવિએટ દાખલ કરશે
સુશાંત કેસમાં રિયાએ સુપ્રીમ કોર્ટમાં પટનાથી કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગણી કરી છે. તો સુશાંતના પિતાના સીનિયર એડવોકેટ વિકાસ સિંહે કેવિએટ દાખલ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું હતું કે રિયાની અરજીમાં કરવામાં આવેલા દરેક સવાલનો જવાબ તેઓ કોર્ટમાં આપશે.
માયાવતીએ પણ CBIની માગણી કરી
BSP સુપ્રીમો માયાવતીએ પણ સુશાંત સુસાઈડ કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું હતું, બિહારના યુવા બોલિવૂડ એક્ટર સુશાંતના મોતનું રહસ્ય ઘેરું બનતું જાય છે. હવે તપાસ મહારાષ્ટ્ર કે બિહાર પોલીસને બદલે CBI તપાસ કરે તે સારું છે. મહારાષ્ટ્ર સરકાર આ અંગે ગંભીર થાય.
2. साथ ही, सुशान्त राजपूत प्रकरण में महाराष्ट्र व बिहार के काग्रेंसी नेताओं के अलग-अलग रवैये से ऐसे लगता है कि इनका असल मकसद इस प्रकारण की आड़ में पहले अपने राजनीतिक स्वार्थ की पूर्ति करना है तथा पीड़ित परिवार को न्याय दिलाना बाद में, जो कतई उचित नहीं। महाराष्ट्र सरकार गंभीर हो।
— Mayawati (@Mayawati) July 30, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fgcDl4
https://ift.tt/2BLEcVU