Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/30/7_1596104956.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/30/7_1596104956.gif. Show all posts

Thursday, July 30, 2020

પિતરાઈ ભાઈ નીરજે કહ્યું- રિયાએ ડિપ્રેશન તથા સારવારની કોઈ વાત પરિવારને કરી નહોતી, તેને ફોસલાવીને રાખ્યો હશે

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બિહારથી ચાર પોલીસ અધિકારી મુંબઈ આવીને શક્ય તેટલા એન્ગલથી તપાસ કરી રહી છે. હવે સુશાંતના કઝિન તથા MLA નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે એક્ટરના પરિવારને તેના ડિપ્રેશન અથવા સારવાર અંગેની કોઈ માહિતી નહોતી અને સુશાંતે ક્યારેય નેપોટિઝ્મને લઈ ચર્ચા કરી નહોતી. છેલ્લી મુલાકાતમાં સુશાંતે પોતાના સપનાઓ અંગે વાત કરી હતી.

નીરજ કુમારે શું કહ્યું?
બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સુશાંતના કાકાના દીકરા નીરજ કુમાર સિંહે કહ્યું હતું કે સુશાંતની ટ્રીટમેન્ટ શરૂ કરાવતા પહેલાં રિયાએ ક્યારેય પરિવારને કોઈ માહિતી આપી નહોતી. પરિવારને સુશાંતના ડિપ્રેશન અંગે કોઈ માહિતી નહોતી. વધુમાં નીરજ કુમારે કહ્યું હતું કે તેમને ડિપ્રેશનની કોઈ જાણ નહોતી અને ના કોઈએ એવી માહિતી આપી હતી કે તે ડિપ્રેશનમાં હતો. જો તે ડિપ્રેશનમાં ગયો હશે તો તેને ફોસલાવીને રાખવામાં આવ્યો હશે. પરિવારના બહુ જ ઓછા લોકો સુશાંતના સંપર્કમાં હતા. તે જ્યારે પણ પિતા સાથે વાત કરતો ત્યારે સામાન્ય રીતે જ વાત કરતો હતો. તેણે ક્યારેય આ બધી વાતોનો ઉલ્લેખ કર્યો નથી.

સુશાંતની સારવાર પર નીરજે કહ્યું હતું કે રિયાએ સુશાંતની કોઈ પણ સારવાર કરાવતા પહેલા તેના પિતાની પરવાનગી લેવાની જરૂર હતી પણ આવું કંઈ જ ના થયું. સુશાંતે ક્યારેય નેપોટિઝ્મની વાત કરી નથી.

સુશાંત થોડા મહિના પહેલા પટના આવ્યો હતો અને ત્યારે નીરજ સાથેની તેની છેલ્લી મુલાકાત થઈ હતી. આ મુલાકાત અંગે નીરજે કહ્યું હતું કે તે સુશાંતને પટનામાં મળ્યા હતા. તે ઘણો જ સારો અને ખુશ દેખાતો હતો. તેણે પોતાના સપના શૅર કર્યા હતા અને કહ્યું હતું કે તે 100 ગરીબ બાળકોને નાસા મોકલવા ઈચ્છે છે. ઓર્ગેનિક ફાર્મિંગ કરવા ઈચ્છે છે. તેના સપનાઓ મોટા મોટા હતાં અને તે બહુ બધું કરવા માગતો હતો.

રિયા ચક્રવર્તી પર અનેક સવાલ
કે કે સિંહે પોલીસ ફરિયાદ કર્યા બાદ રિયા પર અનેક સવાલો ઊઠાવવામાં આવ્યા છે. સુશાંતની બહેન મીતુએ કહ્યું હતું કે રિયા આઠ જૂનના રોજ સુશાંતનું ક્રેડિટ કાર્ડ તથા જરૂરી સામાન લઈને જતી રહી હતી. બિહાર પોલીસે રિયાની પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા પોલીસ ના હોવાથી રિયાએ પૂછપરછ માટે ના પાડી દીધી હતી. હવે બિહારથી મહિલા પોલીસ આવશે અને તે રિયાની પૂછપરછ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant singh rajput cousin on actor's alleged depression & ongoing nepotism debate: Never told us directly


from Divya Bhaskar https://ift.tt/3gegTTt
https://ift.tt/3faRkBC

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...