સુશાંત સિંહ રાજપૂતના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાનીએ એક્ટરના પરિવાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. મુંબઈ પોલીસને એક ઈ-મેલ મોકલીને સિદ્ધાર્થે આક્ષેપ કર્યો છે કે તેની પર રિયા ચક્રવર્તી વિરુદ્ધ નિવેદન આપવા માટે સુશાંતનો પરિવાર દબાણ કરે છે. વાસ્તવમાં તેને આ અંગે કંઈ જ ખબર નથી.
સિદ્ધાર્થે મુંબઈ પોલીસને ઈ-મેલ કર્યો
- સિદ્ધાર્થે મુંબઈ પોલીસને ઈ-મેલમાં કહ્યું હતું, 22 જુલાઈના રોજ સુશાંતના પરિવારમાંથી ઓપી સિંહ, મિતુ સિંહ તથા એક અજાણ્યા નંબરથી કૉન્ફરન્સ કૉલ આવ્યો હતો. આ કૉલમાં મને રિયા ચક્રવર્તી જ્યારે સુશાંત સાથે માઉન્ટ બ્લેન્કમાં રહેતી હતી તો તેમના ખર્ચ અંગે સવાલ કર્યો હતો.
- 27 જુલાઈના રોજ મારી પર એક અજાણ્યા નંબરથી ઓ પી સિંહનો ફોન આવ્યો હતો અને તેમણે મને રિયા ચક્રવર્તી વિરુદ્ધ બિહાર પોલીસને નિવેદન આપવાનું કહ્યું હતું.
- મારી પર પહેલા એક કૉલ આવ્યો અને પછી એક અજાણ્યા નંબરથી પણ કૉલ આવ્યો હતો પરંતુ 40 સેકન્ડ પછી ફોન કપાઈ ગયો હતો. કોઈ નિવેદન લેવામાં આવ્યું નથી. મને જે વાતની માહિતી નથી, એ વાતને લઈ દબાણ કરવામાં આવી રહ્યું છે.
EDએ મની લોન્ડરિંગ એન્ગલથી તપાસ શરૂ કરવી જોઈએઃ ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને સુશાંત કેસની તપાસ CBI કરે તેવી માગણી કરી છે. તેમણે કહ્યું હતું, EDએ પોતાની તપાસ લોન્ડરિંગના એન્ગલથી શરૂ કરી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચિરાગ પાસવાન સહિત ઘણા લોકોએ CBI તપાસની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે CBI તપાસની માગણી કરતી જનહિતની અરજી ફગાવી દીધી હતી. હવે પટના હાઈકોર્ટમાં CBI તપાસની માગ કરતી એક અરજી કરવામાં આવી છે.
There is a huge public sentiment about handing over #SushantSinghRajput case to CBI but looking at the reluctance of State Government, atleast @dir_ed ED can register an ECIR since misappropriation and money laundering angle has come out.
— Devendra Fadnavis (@Dev_Fadnavis) July 31, 2020
સુશાંતના મિત્રનો દાવો, મુંબઈ પોલીસે નિવેદન લીધુ નથી
સુશાંતના નિકટના મિત્ર સંદીપ સિંહે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મુંબઈ પોલીસે હજી સુધી સત્તાવાર રીતે તેની પૂછપરછ કરી નથી. મુંબઈ પોલીસનો ફોન આવ્યો હતો અને અનેક બાબતો પૂછી હતી. જોકે, હજી સુધી સત્તાવાર રીતે નિવેદન નોંધવામાં આવ્યું નથી. સંદીપે એ પણ ખુલાસો કર્યો હતો કે સુશાંત ખુજમિજાજ યુવક હતો. તે આત્મહત્યા કરે તેવો નહોતો. તે હંમેશાં ફિલ્મ તથા કરિયર અંગે વાતો કરતો હતો.
મુંબઈ પોલીસે સચ્ચાઈ સામે લાવવાની જરૂર
સંદીપે અન્ય એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભલે જે પણ થયું હોય...મર્ડર હોય કે આત્મહત્યા પરંતુ મુંબઈ પોલીસે આ વાત સામે લાવવાની જરૂર છે, કારણ કે અત્યાર સુધી પોલીસે આ કેસની ઘણી જ તપાસ કરી લીધી છે.
બિહાર પોલીસે અત્યાર સુધી છ લોકોની પૂછપરછ કરી
બિહાર પોલીસ મુંબઈ સુશાંત કેસની તપાસ અર્થે આવી છે. સુશાંત સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરી રહી છે. આ કેસમાં બિહાર પોલીસે કુક, તેની બહેન મિતુ સિંહ, પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સહિત છ લોકોના નિવેદન લીધા છે. સુશાંતે આત્મહત્યા કરી ત્યારે કુક ઘરમાં જ હાજર હતો.
મુંબઈ પોલીસ સહયોગ આપતી નથી
બિહાર સરકારના એડવોકેટ જનરલ લલિત કિશોરે કહ્યું હતું કે એક રાજ્યની પોલીસ બીજા રાજ્યમાં તપાસ માટે જાય છે તો તેને મદદ કરવામાં આવે છે પરંતુ કમનસીબે અહીંયા મુંબઈ પોલીસ કોઈ રીતે મદદ કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30cGpD9
https://ift.tt/317k1tV