Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/31/6_1596192331.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/31/6_1596192331.gif. Show all posts

Friday, July 31, 2020

કંગના રનૌતે સુશાંતના પરિવાર પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું- તે માત્ર પૈસા પર ધ્યાન આપી રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે બિહાર પોલીસની ટીમ પણ તપાસ કરી રહી છે. રિયા ચક્રવર્તીએ સુશાંતના પૈસા લઈ લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે આ એન્ગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન સુશાંતના વકીલે કહ્યું હતું કે એક્ટરના મોત પાછળ નેપોટિઝ્મ કે મૂવી માફિયાઓનો કોઈ સંબંધ નથી. વકીલની આ વાત પર કંગનાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કંગના માને છે કે સુશાંતનો પરિવાર હવે માત્ર પૈસા પર જ ફોકસ કરી રહ્યો છે.

કંગનાની ટીમે ટ્વીટ કરી
કે કે સિંહના વકીલે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુશાંત કેસમાં કંગનાએ નેપોટિઝ્મનો મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ તેને આ કેસ સાથે કોઈ લેવા-દેવા નથી. આ વાત પર પ્રતિક્રિયા આપતા કંગનાની ટીમે કહ્યું હતું, કમનસીબે તેમનો પરિવાર માત્ર પૈસા પર ફોકસ કરી રહ્યા છે. સુશાંતે બુલી તથા હેરેસમેન્ટ અંગે જે કંઈ પણ કહ્યું હતું તે તમામ ઈન્ટરવ્યૂ તથા પોસ્ટની અવગણના કરવામાં આવી છે. આ કેસમાં પોલિટિકલ નેપો માફિયા પણ જોડાયેલા છે.

શું રણબીર તથા વરુણની સાથે આવું થાત?
કંગનાએ બીજી ટ્વીટમાં કહ્યું હતું, જો તેમણે સુશાંતને માર્યો છે તો તેમના માટે આ એકદમ સહેલું હતું. તો શું તેઓ રણબીર કપૂર કે વરુણ ધવનની સાથે આ બધું કરી શકશે. તેઓ માને છે કે નેપોટિઝ્મ તથા પક્ષપાત ક્રિમિનલ અપરાધ નથી.

આ પ્રસંગે બુલી-વડને સારી જગ્યા બનાવી શકાય છેઃ કંગના
કંગનાની ટીમે કહ્યું હતું કે જો કેસમાં બીજા મુદ્દાઓ પણ ધ્યાન લેવાય તો બોલિવૂડમાં મોટું પરિવર્તન આવી શકે છે. માત્ર મની લોન્ડરિંગ જ ક્રિમિનલ અપરાધ છે. આ વાત સાચી છે કે જો આપણી પાસે બુલી-વુડ (બોલિવૂડ)ના કાયદા બદલીને આઉટસાઈડર્સ માટે આને સલામત જગ્યા બનાવવાની તક છે. જો મૂવી માફિયાને બદલે માત્ર પૈસા પર ધ્યાન આપવામાં આવશે તો આ તક જતી રહેશે.

નેપોટિઝ્મનો આ કેસ સાથે સંબંધ નથીઃ વકીલ
સુશાંત સિંહના મૃત્યુ બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ તથા પક્ષપાતનો મુદ્દો ગરમાયો છે. અનેક લોકો માની રહ્યા છે કે ઈન્ડસ્ટ્રીએ સુશાંતને સ્વીકાર્યો નહોતો અને આ વાતથી તે દુઃખી હતી. સોશિયલ મીડિયામાં ઈન્ડસ્ટ્રીને લઈ ખુલાસાઓ પણ થયા હતા. જોકે, ઝૂમ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં કે કે સિંહના વકીલે કહ્યું હતું કે કંગનાએ હાઈલાઈટ કરેલા મુદ્દાઓ તથા સોશિયલ મીડિયા પોસ્ટનું આ કેસ સાથે કંઈ જ લેવા-દેવા નથી. આ સાથે જ વકીલે એમ પણ કહ્યું હતું કે આજ સુધી કંગનાએ સુશાંતના પરિવારનો સંપર્ક કર્યો નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Kangana Ranaut feels Sushant Singh Rajut's family is only focusing on the monetary part and ignoring the rest


from Divya Bhaskar https://ift.tt/2P9baTf
https://ift.tt/3jV9MBH

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...