Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/31/sushant-police1596119706_1596176308.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/31/sushant-police1596119706_1596176308.jpg. Show all posts

Friday, July 31, 2020

બિહાર પોલીસને કારણે મુંબઈ પોલીસે તપાસ અટકાવી, હાલ કોઈ નવા સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં નહીં આવે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે હાલ તપાસ અટકાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ નિર્ણય બિહાર પોલીસના મુંબઈમાં ચાલી રહેલ ઇન્વેસ્ટિગેશનને ધ્યાનમાં રાખીને લેવાયો છે. મુંબઈ પોલીસ હવે મોનિટર કરી રહી છે કે બિહાર પોલીસ કઈ દિશામાં અને શું તપાસ કરી રહી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, અત્યારસુધી 38 લોકોના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી ચૂકેલ મુંબઈ પોલીસ હાલ કોઈપણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે નહીં.

કરણ જોહરની પૂછપરછ અટકી
પોલીસ આ અઠવાડિયામાં જ ધર્મા પ્રોડક્શનના હેડ અને ફિલ્મમેકર કરણ જોહરને પોલીસ સ્ટેશન બોલાવવાની તૈયારીમાં હતી, પરંતુ હવે તેનું સ્ટેટમેન્ટ ક્યારે લેવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા નથી. આ કેસમાં છેલ્લે મુંબઈ પોલીસે ધર્મા પ્રોડક્શનના CEO અપૂર્વ મહેતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું હતું. તેના જણાવ્યા મુજબ કરણ જોહર અને સુશાંત વચ્ચે કોઈ પ્રકારનો કોઈ વિવાદ ન હતો.

બિહાર પોલીસ મુંબઈ પોલીસ પાસેથી ઇલેક્ટ્રિક એવિડન્સ માગશે
ઝડપથી તપાસ કરી રહેલ બિહાર પોલીસ મુંબઈ પોલીસ પાસેથી ઇલેક્ટ્રિક એવિડન્સ જેવા કે CCTV, CDR, ડેડબોડી અને ડેથ સ્પોટની વીડિયોગ્રાફી માગી શકે છે. આ સાથે જ નવેમ્બર 2019થી મૃત્યુ સુધી સુશાંતનું કાઉન્સેલિંગ કરી ચૂકેલ 6 ડોક્ટર્સની પૂછપરછ કરવાની તૈયારી છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે બિહાર પોલીસ રિયા ચક્રવર્તી સહિત 10 લોકોને IPC ધારા 161 અંતર્ગત નોટિસ ફટકારશે.

મિતુએ મુંબઈ પોલીસને શું સ્ટેટમેન્ટ આપ્યું?
સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે બિહાર પોલીસને તેનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. ત્યારબાદ સવાલ ઊઠી રહ્યા છે કે મુંબઈ પોલીસને તેણે સ્ટેટમેન્ટ કેમ આપ્યું ન હતું. આ બાબતે બે થિયરી ચાલી રહી છે. એક તરફ મુંબઈ પોલીસ એમ કહી રહી છે કે મિતુ વ્યસ્ત હોવાને કારણે તેનું સ્ટેટમેન્ટ આપવા ન આવી. જ્યારે સૂત્રોનું કહેવું છે કે મિતુએ બિહાર પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે તેને મુંબઈ પોલીસ પર ભરોસો ન હતો, માટે તે ત્યાં ન ગઈ.

સ્ટેટમેન્ટમાં FIRની વાતો જ ફરી કરી
મિતુએ બિહાર પોલીસને એ જ વાતો કરી જે તેના પિતા કેકે સિંહે પટનામાં ફાઈલ કરાવેલ FIRમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિતુએ બિહાર પોલીસને એવું પણ જણાવ્યું રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો અને ભૂત-પ્રેતની સ્ટોરી કહીને તેને ડરાવીને ઘર પણ બદલાવ્યું. તેની મંજૂરી મળ્યા બાદ જ સુશાંત તેના ઘરના લોકો સાથે વાત કરી શકતો હતો.

રિયા બહેનોને સુશાંતને મળવા દેતી ન હતી
મિતુના જણાવ્યા મુજબ, જ્યારે તે અને તેની બહેનો સુશાંતને મળવા જતી ત્યારે તેમને બિલ્ડિંગ નીચે જ ઘણા કલાક સુધી રાહ જોવડાવવામાં આવતી. તેમને કહેવામાં આવતું કે સુશાંત ઘરે નથી. રિયા ઘરે આવે ત્યાં સુધી તેમને રાહ જોવી પડતી અને રિયા ખુદ તેમને નીચે લેવા આવતી ન હતી. મિતુના જણાવ્યા મુજબ રિયાને સુશાંતની બહેનો ત્યાં રહેતી એ જરાપણ ગમતું ન હતું. આ બાબતે તેના સુશાંત સાથે ઝઘડા પણ થતા રહેતા.

રિયાની માતા સંધ્યા ચક્રવર્તી આખો દિવસ તેના ઘરે જ રહેતા. આ સુશાંતને ગમતું ન હતું પરંતુ તે ઘર છોડી શકતા ન હતા કારણકે રિયા તેને ધમકાવતી હતી કે જો તે આવું કરશે તો તે તેને બદનામ કરી દેશે. રિયાનો પરિવાર સુશાંતના ઘરમાં ઘર કરીને બેસી ગયો હતો અને તે તેમની સાથે સંબંધ પણ કટ કરી શકતા ન હતા. તેને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મુંબઈ પોલીસ આ અઠવાડિયે ધર્મા પ્રોડક્શનના હેડ અને ફિલ્મમેકર કરણ જોહરને પોલીસ સ્ટેશન બોલાવવાની તૈયારીમાં હતી.


from Divya Bhaskar https://ift.tt/3hWDtkb
https://ift.tt/338osYh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...