Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/01/1092069136825602923040583089744946690141709n159625_1596261905.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/01/1092069136825602923040583089744946690141709n159625_1596261905.jpg. Show all posts

Saturday, August 1, 2020

એક્ટરની બહેન શ્વેતાએ વડાપ્રધાન પાસે ન્યાયની માગણી કરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બિહાર સરકારને કહ્યું - આ લોકો નીચતા પર ઉતરી આવ્યા છે

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેના ફેન્સ, પરિવાર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ સતત CBI તપાસની માગ કરી રહ્યા છે. અમુક રાજકારણીઓ પર આ બાબતે સપોર્ટ કરી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ એક ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ન્યાયની માગણી કરી છે. તેણે મોદીને એક ઓપન લેટર પણ લખ્યો છે.

શ્વેતાએ મોદીને સંબોધીને લખ્યું કે, હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું કેસમાં તાત્કાલિક તપાસ માટે વિનંતી કરું છું. અમને ભારતની ન્યાય વ્યવસ્થા પર ભરોસો છે અને કોઈપણ ભોગે ન્યાયની આશા રાખીએ છીએ. ટ્વીટમાં PMOને પણ ટેગ કરવામાં આવી છે.

બોલિવૂડમાં મારા ભાઈના કોઈ ગોડફાધર ન હતા
શ્વેતાએ ઓપન લેટરમાં લખ્યું, સર, મારું દિલ એમ કહે છે કે તમે ક્યાંક સત્ય સાથે ઊભા રહેશો. અમે સામાન્ય પરિવારના છીએ. મારો ભાઈ જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે તેના કોઈ ગોડફાધર ન હતા. હું તમને વિનંતી કરું છું કે તમે તરત આ કેસ પર ધ્યાન આપો અને એ સુનિશ્ચિત કરો કે બધી તપાસ નિષ્પક્ષ રીતે થાય અને કોઈપણ એવિડન્સ સાથે ચેડાં કરવામાં ન આવે. ન્યાયની અપેક્ષા છે.

સુશાંત સિંહે 14 જૂને આત્મહત્યા કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો પરંતુ તેની આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

બહેન શ્વેતાનો નરેન્દ્ર મોદીને લેટર

શ્વેતાએ સોશિયલ મીડિયા પર સુશાંતનો રૂટીન પ્લાન શેર કર્યો
શ્વેતા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી રહે છે. તેણે સુશાંતના વ્હાઇટ બોર્ડ પર લખેલ પ્લાનનો એક ફોટો શેર કર્યો હતો. તેણે લખ્યું કે, આ રૂટિન તે 29 જૂનથી ફોલો કરવાનો હતો.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- નીચતા પર ઉતરી આવ્યા છે લોકો
સુશાંત સિંહ કેસ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પહેલીવાર સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ કેસમાં CBI તપાસની માગ કરી છે. આ વિશે તેમણે એક મરાઠી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું, હું આની નિંદા કરું છું. કોરોના સંકટમાં મુંબઈ અને મહારાષ્ટ્રની પોલીસ કોરોના વોરિયર બનીને દેશ માટે કુરબાન થઇ રહ્યા છે અને આ લોકો આવી નીચતા પર ઉતરી આવ્યા છે. જેની પાસે પણ કોઈ પ્રૂફ કે માહિતી હોય તે લઈને આવે. આરોપીને ફાંસી પર જરૂર લટકાવશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શ્વેતા સિંહ સુશાંત સિંહની સૌથી નાની બહેન છે અને તે ભાઈની નજીક હતી. - ફાઈલ ફોટો


from Divya Bhaskar https://ift.tt/2Xbv9oH
https://ift.tt/2Xit2zj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...