Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/02/4_1596356509.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/02/4_1596356509.gif. Show all posts

Sunday, August 2, 2020

મિત્ર સ્મિતાનો દાવો, રિયાની બાળપણની મિત્રની આત્મા 24 કલાક સાથે રહેતી હતી, ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટી થતી હોવાને કારણે ઘર બદલ્યું હતું

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થતા રહે છે. હાલમાં જ કેટલાંક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રિયા ચક્રવર્તી સુશાંતના પૈસાથી ઘરમાં કાળો જાદુ કરતી હતી. હવે સુશાંતની ફીમેલ ફ્રેન્ડ સ્મિતા પરીખે કહ્યું હતું કે રિયાએ જાતે કબૂલ કર્યું હતું કે તેની સાથે હંમેશાં તેની નાનપણની મિત્રની આત્મા રહેતી હતી. આ ખુલાસો સુશાંતની હાજરીમાં કરવામાં આવ્યો હતો. રિયાએ કહ્યું હતું કે જે પણ તેને હેરાન કરશે તેને આત્મા બરબાદ કરી નાખશે.

હાલમાં જ રિપબ્લિક ટીવીની એક ડીબેટમાં સુશાંતની મિત્ર સ્મિતા સામેલ થઈ હતી. આ દરમિયાન તેણે રિયા પર કાળો જાદુ કરવાનો આક્ષેપ મૂક્યો હતો અને કહ્યું હતું, હું ગયા વર્ષે સુશાંતના જૂના ઘર કપ્રી હાઈટ્સમાં ગઈ હતી. મેં ત્યાં જઈને જોયું કે ઘરમાંથી મોટાભાગનું ફર્નિચર ગાયબ હતું. તો મેં રિયા-સુશાંતને પૂછ્યું હતું કે સામાન ક્યાં ગયો તો જવાબમાં રિયાએ કહ્યું હતું કે ઘરમાં પેરાનોર્મલ એક્ટિવિટી થઈ રહી છે અને આથી જ તેઓ ઘર શિફ્ટ કરે છે.

સુશાંતની મિત્ર સ્મિતાએ કહ્યું હતું કે ક્વૉન્ટમ ફિઝિક્સ જેવા વિષયમાં રસ ધરાવતી વ્યક્તિ આ બધી વાતમાં કેવી રીતે વિશ્વાસ કરી શકે? રિયાએ એમ કહ્યું હતું કે 24 કલાક તેની નાનપણની મિત્રની આત્મા તેની સાથે રહે છે. તેઓ જ્યારે 17 વર્ષના હતા ત્યારે ત્યારે તેની આ ફ્રેન્ડનું મૃત્યુ થયું હતું અને હવે તેની સાથે 24 કલાક આત્મા રહે છે. રિયાને જે પણ હેરાન કરશે કે નુકસાન પહોંચાડશે તે વ્યક્તિને આ આત્મા બરબાદ કરી દેશે.

આ વાત સાંભળીને સુશાંત રૂમની બહાર જતો રહ્યો હતો
સુશાંતને વિજ્ઞાન તથા અવકાશમાં રસ હતો. તે આ બધી વાતોમાં ક્યારેય વિશ્વાસ ધરાવતો નહીં. સ્મિતાએ કહ્યું હતું કે જ્યારે રિયાએ આત્માની વાત કરી ત્યારે સુશાંત રૂમની બહાર નીકળી ગયો હતો. રિયાના મતે બંનેએ પેરાનોર્મલ એક્ટિવિટીને કારણે ઘર બદલ્યું હતું. જોકે, કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સુશાંતની લેટ નાઈટ પાર્ટીને કારણે તેને સોસાયટી તરફથી નોટિસ મળી હતી અને તેને લીધે ઘર બદલ્યું હતું.

રિયા, સુશાંતના પૈસાથી કાળો જાદુ કરતી હતી
સુશાંતના પિતા કે કે સિંહનો આક્ષેપ છે કે સુશાંતના બેંક અકાઉન્ટમાંથી ગયા વર્ષે 15 કરોડ રૂપિયા રિયાએ ઉપાડ્યાં હતાં. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે આ જ પૈસાથી રિયા પંડિતો પાસે ઘરમાં તંત્ર-મંત્ર અને સુશાંત પર કાળો જાદુ પણ કરાવતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડાબે, સ્મિતા પરીખ, સુશાંત-રિયાની ફાઈલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3gmFKob
https://ift.tt/2XlbLFQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...