Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/04/sushant-31596459671_1596527809.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/04/sushant-31596459671_1596527809.jpg. Show all posts

Tuesday, August 4, 2020

જલેબી ફિલ્મના સેટ પર રિયાએ કાજોલ ત્યાગી સાથે ખરાબ વર્તન કર્યું હતું, કહ્યું - રિયા સાથે રિલેશનમાં આવતા જ નંબર બદલીને સુશાંત ફ્રેન્ડ્સથી અલગ થઇ ગયો હતો

સુશાંત સિંહના કેસમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ લાગ્યા છે. હવે જલેબી ફિલ્મમાં થોડા દિવસ તેની સાથે કામ કરી ચૂકેલ એક્ટ્રેસ કાજોલ ત્યાગીએ રિયાના વર્તનને લઈને મોટો ખુલાસો કર્યો છે. કાજોલના અમુક ફ્રેન્ડ્સ સુશાંતના ક્લોઝ ફ્રેન્ડ્સ હતા પરંતુ તેમનું કહેવું છે કે રિયા સાથે રિલેશનશિપમાં આવ્યા પછી જ એક્ટર બધાથી અલગ થઇ ગયો હતો.

રિયા ચક્રવર્તી 2018માં આવેલ ફિલ્મ જલેબીમાં દેખાઈ હતી જેમાં કાજોલ મેરીડ સરદારનીનાના રોલમાં હતી. કાજોલે 8-9 દિવસ સુધી શૂટિંગ પણ કર્યું હતું પણ પછી તેણે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. કાજોલને રિયાનું વર્તન યોગ્ય લાગ્યું ન હતું. આ બાબતે તેણે પિન્કવીલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે રિયા સેટ પર એકદમ નેગેટિવ વર્તન કરતી હતી. ઘણીવાર તેણે રિયાને હેલ્લો કર્યું હશે પણ તે કાજોલને ઇગ્નોર કરતી હતી અને તેની સાથે વિરોધીઓ જેવું વર્તન કરતી હતી.

રિયાને સુશાંતના ફ્રેન્ડ્સથી વાંધો હતો
કાજોલ સુશાંતને નથી ઓળખતી પણ તેના બે ક્લોઝ ફ્રેન્ડ્સ ક્રિશન બરેટો અને સનાયા સુશાંતના પણ ક્લોઝ ફ્રેન્ડ્સ હતા. તેઓ ઘણીવાર સાથે પાર્ટી અને હેન્ગઆઉટ કરતા હતા પણ રિયાના આવ્યા બાદ સુશાંતે બધા સાથે સંપર્ક તોડી નાખ્યા. આ બાબતે કાજોલે કહ્યું કે, જ્યારે હું પંચ આઉટ વેબ સિરીઝનું શૂટિંગ કરવા મુંબઈ આવી હતી તો ત્યારે બધા સાથે હેન્ગઆઉટ કરતા હતા પણ હું જ્યારે પરત આવી ત્યારે તેઓએ સાવ વાત કરવાનું બંધ કરી દીધું હતું. જ્યારે મેં આ વિશે પૂછ્યું તો ખબર પડી કે સુશાંતે તેનો નંબર બદલી દીધો હતો અને બધાથી અલગ થઇ ગયો હતો. જ્યારે મેં સનાયા અને ક્રિશનને પૂછ્યું કે વાત કેમ બંધ થઇ તો તેમણે કહ્યું કે તે કોઈને ડેટ કરી રહ્યો છે અને તે છોકરીને નથી ગમતું. તો જ્યારથી રિયા તેની લાઈફમાં આવી તેની સાથેના બધા કોન્ટેક્ટ તૂટી ગયા.

સહાનુભૂતિ પ્રાપ્ત કરવા રિયાએ વીડિયો શેર કર્યો: કાજોલ
સુશાંતના મૃત્યુ બાદ રિયા પર તેના પૈસા ખર્ચ કરવાના, આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ લાગી રહ્યા છે. રિયાએ આ બધી બાબતે તેની પ્રતિક્રિયા આપી એક વીડિયો શેર કર્યો હતો જેમાં રિયાએ રડતા હાથ જોડીને ન્યાયની માગ કરી હતી. આ વીડિયોને કાજોલે સહાનુભૂતિ હાંસિલ કરવા માટેનો સ્ટંટ ગણાવ્યો છે. તેણે કહ્યું, હું તેના પર આરોપ લગાવવા નથી ઇચ્છતી પણ તે વીડિયો ઘણો ફેક હતો. તમે ઘણા સમય પછી તમારા પ્રેમ માટે સામે આવી રહ્યા છો અને આત્મહત્યાને બદલે તમે લોકો પાસે સહાનુભૂતિની માગ કરી રહ્યા છો. માટે મને લાગે છે કે મેં પહેલાં જ તેને સાચી જજ કરી લીધી હતી.

કાજોલને અગાઉ ફિલ્મ જલેબીમાં રિયા સાથે સરદારનીનો રોલ મળ્યો હતો. અમુક દિવસનું શૂટિંગ પૂરી કર્યા બાદ ફિલ્મનું ફરી શૂટિંગ થવાનું હતું પરંતુ કાજોલ બીજા પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી. કાજોલના જણાવ્યા અનુસાર રિયાનું વર્તન શૂટિંગ દરમ્યાન ઘણું નેગેટિવ હતું. બીજી બાજુ એવા પણ સમાચાર છે કે રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર શુક્રવારે કોઈને પણ જાણ કર્યા વગર ઘરથી નીકળી ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actress Kajol Tyagi Revealed Sushant Was Separated From Friends As Soon As Rhea Got Into Relationship, She Also Treated The Actress Badly On The Sets Of Jalebi


from Divya Bhaskar https://ift.tt/33Bu5P5
https://ift.tt/3i8Dlya

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...