દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી રાણા દગ્ગુબાતી અને મિહિકા બજાજનાં લગ્નમાં કોઈ અડચણ ઊભી નહિ કરે. ‘બાહુબલી’ ફેમ રાણા દગ્ગુબાતી મિહિકા સાથે નક્કી કરેલી તારીખે જ લગ્ન કરશે, પરંતુ લગ્નની બધી વિધિ બાયો-સિક્યોર બબલમાં થશે. બંનેની સગાઈ લોકડાઉનમાં થઇ હતી અને હવે તેઓ 8 ઓગસ્ટના રોજ લગ્નના તાંતણે બંધાશે. રિપોર્ટ પ્રમાણે આ લગ્ન ધૂમધામથી કરવામાં આવશે પરંતુ તેમાં નજીકના લોકોને જ બોલાવવામાં આવશે.
View this post on InstagramA post shared by Rana Daggubati (@ranadaggubati) on May 20, 2020 at 11:00pm PDT
‘અમારા કોઈ પણ મહેમાનનું જીવન જોખમમાં મૂકવા માગતા નથી’
હૈદરાબાદના રામાનાયડુ સ્ટુડિયોમાં લગ્નના દરેક કાર્યક્રમ થશે. મહેમાનોમાં માત્ર નજીકના પરિવારજનો અને મિત્રો જ સામેલ થશે. રાણા દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લગ્નમાં 30થી લોકો સામેલ નહિ થાય. અમારા ઘણા મિત્રો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને પણ આમંત્રણ આપ્યું નથી. કોરોના વાઈરસનું સંક્રમણ આખી દુનિયામાં ફેલાયેલું છે. તેવામાં અમે અમારા કોઈ પણ મહેમાનનું જીવન જોખમમાં મૂકવા માગતા નથી.
‘લગ્નમાં સામેલ થનારી દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે’
વધુમાં સુરેશ બાબુએ કહ્યું કે, અમે લોકો સામે ઉદાહરણ મૂકવા માગીએ છીએ. કાર્યક્રમ નાનો હશે, પણ સુંદર હશે. લગ્નમાં સામેલ થનારી દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે અને દરેક જગ્યાએ સેનિટાઈઝરની વ્યવસ્થા રાખીશું. આ ખુશીનો અવસર છે અને અમે તેને સુરક્ષિત પણ બનાવવા ઈચ્છીએ છીએ. મિહિકાની માતા બંટી બજાજે પણ કહ્યું કે, અમે સેફ્ટીનું પૂરતું ધ્યાન રાખીશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33u5jjQ
https://ift.tt/33s3PGD