Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/05/ram-7_1596618991.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/05/ram-7_1596618991.jpg. Show all posts

Wednesday, August 5, 2020

‘દિલ બેચારા’ ફિલ્મના કો-એક્ટર સાહિલ વૈદે કહ્યું, ‘ડ્રાઈવ એક ખરાબ ફિલ્મ હતી, તેમાં કામ કરીને સુશાંત ફસાઈ ગયો હતો’

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 50થી પણ વધારે દિવસ થઇ ગયા છે અને આત્મહત્યા કેસમાં રોજ કઈક નવા વળાંકો આવી રહ્યા છે. આ દરમિયાન સુશાંત સાથે તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરી ચૂકેલા એક્ટર સાહિલ વૈદે ઇન્ટરવ્યૂ ઘણી વાતો શેર કરી છે.

‘ડ્રાઈવ’ 2019માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી
સાહિલે નવભારતને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સુશાંત સાથે શું થયું તે હું જાણતો નથી પરંતુ તે નબળો નહોતો. તે ચુપચાપ સહન કરનારા લોકોમાંથી પણ નહોતો. કમનસીબે ડ્રાઈવ ખરાબ ફિલ્મ બની ગઈ અને તે આ ફિલ્મમાં કામ કરીને ફસાઈ ગયો હતો. કરણ જોહર માટે આ ફિલ્મને થિયેટર સુધી લઇ જવું મુશ્કેલ બની ગયું હતું. ફિલ્મને જાણી જોઇને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી તે વાત ખોટી છે. ડ્રાઈવ 2019માં નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી અને તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

દિલ બેચારમાં સુશાંતની સાથે સાહિલ વૈદ

‘સુશાંતના આત્મહત્યાના સમાચાર પર વિશ્વાસ ન આવ્યો’
સાહિલે વધુમાં કહ્યું કે, જ્યારે મેં સુશાંતની આત્મહત્યાનાં સમાચાર સાંભળ્યા ત્યારે મેં વિચાર્યું કે શું બકવાસ છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે તે પોતાનો જીવ લઇ શકે. તે સેટ પર ખુશ જ રહેતો હતો અને આજુબાજુના લોકોને પણ હસાવતો રહેતો હતો. એટલું જ નહિ પણ તેની સામે તો હું ડિપ્રેશનમાં હોઉં તેવું લાગતું હતું. હા, દરેક વ્યક્તિની અંદર શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે પરંતુ મેં સુશાંતની અંદર એવી કોઈ જ વસ્તુ નોટિસ કરી નહોતી.

સુશાંતનાં મૃત્યુ પછી બોલિવૂડમાં ચર્ચાતા નેપોટિઝ્મના મુદ્દા પર સાહિલે કહ્યું કે, કરિયરની શરુઆતમાં નેપોટિઝ્મ અડચણ બને છે, પરંતુ એકવાર તમારું મોટું નામ બની ગયું તો તમને કોઈ રોકી શકશે નહિ.

‘કરણ જોહર મારા મેસેજનો જવાબ આપતા નથી’
વર્ષ 2017માં આપેલા ઇન્ટરવ્યૂમાં સાહિલે કહ્યું હતું કે, ધર્મા પ્રોડક્શન કામ કરવા માટે સારી જગ્યા છે. તેઓ કાસ્ટ અને ક્રૂનું સારું ધ્યાન રાખે છે. તેમને ખબર છે કે, ફિલ્મો કેવી રીતે બનાવવી છે અને ટીમને મોટીવેટ કઈ રીતે કરવું છે. સાહિલે કરણ જોહર સાથેના બોન્ડિંગ પર કહ્યું કે, સુશાંતનાં મૃત્યુ પછી હવે કરણ જોહર મારા મેસેજનો જવાબ આપતા નથી. હું પણ ડરી ગયો છું અને ઈચ્છું છું કે, કોઈ મારી મદદ કરે. મને આશા છે કે ઇન્ડસ્ટ્રીમાં વધુ સારું થઈ જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput’ Dil Bechara Co actor Sahil Vaid: ‘Drive Turned Out To Be A Bad Film And He Was Stuck’


from Divya Bhaskar https://ift.tt/3kfoLGU
https://ift.tt/2PsCJqO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...