સુશાંત સિંહ રાજપૂત કેસમાં આર્થિક પાસાની તપાસ કરવા માટે EDની ટીમ મંગળવાર, 11 ઓગસ્ટના રોજ એક્ટરની મેનેજર શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહી છે. આ પહેલાં સાત તથા 10 ઓગસ્ટના રોજ શ્રુતિની પૂછપરછ કરવામાં આવી હતી. 10 કલાકથી વધુ થયેલી આ પૂછપરછમાં શ્રુતિએ અનેક ખુલાસા કર્યા હતા. તેણે EDને તેની અને સુશાંત વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટના પેપર પણ આપ્યાં હતાં. શ્રુતિ મોદી પછી આજે સુશાંતની બહેન મીતુ સિંહનું ED નિવેદન લેશે.
શ્રુતિ મોદી રિયાનું કામ પણ જોતી હતી અને સુશાંતનું મોત થયું તેના એક વર્ષ અગાઉથી એક્ટરની મેનેજર હતી. મુંબઈ પોલીસે પણ શ્રુતિની બેવાર પૂછપરછ કરી હતી.
રિયાના નંબરોની તપાસ થશે
મની લોન્ડરિંગ કેસમાં પુરાવા માટે EDની ટીમ હવે રિયાના ફોનની તપાસ કરશે. EDને શંકા છે કે રિયાના ફોનમાં પૈસાની લેવડ-દેવડને લઈ કોઈ માહિતી મળી શકે છે. આ પહેલાં EDએ રિયાની બેવાર તથા તેના ભાઈની ત્રણવાર પૂછપરછ કરી હતી.
સુશાંતનો પગ વળેલો હતોઃ સુબ્રમણ્યમ સ્વામી
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સની ટીમની પણ પૂછપરછ કરવામાં આવે તેવી માગણી કરી છે. સ્વામીએ કહ્યું હતું કે સુશાંતની ડેડ બૉડી લઈ જનાર એમ્બ્યુલન્સના કર્મચારીઓના મતે સુશાંતનો પગ તૂટી ગયો હોય તે રીતે વળેલો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31Aa48K
https://ift.tt/2FcWnVP