Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/5_1597392755.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/08/14/5_1597392755.jpg. Show all posts

Friday, August 14, 2020

એક્ટરના પૂર્વ ડ્રાઈવરનો રિયા પર ગંભીર આક્ષેપઃ તેણે સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો, સુશાંત બીમાર હતો છતાંય પાર્ટીઓ કરતી હતી

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્ટરના પૂર્વ ડ્રાઈવર ધીરેને રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપ કર્યા છે. ડ્રાઈવરના મતે, એક્ટ્રેસે સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો. ધીરેનના મતે, તેણે કામ છોડ્યું પછી અનેક લોકોએ તેને કહ્યું હતું કે જ્યારે સુશાંત બીમાર હતો ત્યારે પણ રિયા બહુ પાર્ટીઓ કરતી હતી. ધીરેને આ ખુલાસો એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કર્યો હતો.

રિયાએ સુશાંતના સ્ટાફને કાઢી મૂક્યો હતો
ટાઈન્સ નાઉ સાથેની વાતચીતમાં ધીરેને કહ્યું હતું કે રિયા જ્યારે સુશાંતના જીવનમાં આવી એટલે એણે તરત જ જૂના સ્ટાફને બદલી નાખ્યો હતો. તેણે પોતાના માણસોને કામ પર રાખ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે સુશાંતની બહેન પ્રિયંકા તથા રિયા વચ્ચે થયેલા ઝઘડાની વાત પણ કરી હતી. ધીરેનના મતે, તે રિયા, તેનો ભાઈ શૌવિક તથા પ્રિયંકાને એક ક્લબમાં લઈ ગયો હતો. અહીંયા કોઈ પાર્ટી હતી. પાર્ટીમાંથી પરત ફર્યા બાદ પ્રિયંકા પોતાના ઘરે દિલ્હી જતી રહી હતી. ધીરેન માને છે કે તે રાત્રે રિયા તથા પ્રિયંકા વચ્ચે ઝઘડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે આ વાત થોડાં સમય પહેલાં પણ સામે આવી હતી કે રિયાએ 2019માં પ્રિયંકા પર મોલેસ્ટ કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ સુશાંત તથા પ્રિયંકા વચ્ચે ઝઘડો થયો હતો અને પ્રિયંકા દિલ્હી ગઈ હતી. બંને વચ્ચે મહિનાઓ સુધી વાતો થઈ નહોતી. પછી સુશાંતે પ્રિયંકાની માફી માગી હતી. સુશાંતને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે રિયાએ ભાઈ-બહેન વચ્ચેના સંબંધોમાં તિરાડ પડાવવાના ઈરાદાથી આટલો ગંભીર આક્ષેપ મૂક્યો હતો.

ડ્રાઈવરની સાથે 15-16 કલાક રહેતો હતો
અન્ય એક રિપોર્ટમાં બીજા ડ્રાઈવર અનિલે દાવો કર્યો હતો કે સુશાંત તેની સાથે 15-16 કલાક રહેતો હતો. તે સુશાંતને શૂટ પર લઈ જતો હતો અને જો કોઈ વસ્તુની જરૂર હોય તો તે પણ લઈ આપતો હતો.

અનિલના મતે, તેણે 2018માં સુશાંતની સાથે અઢી મહિના કામ કર્યું હતું. ત્યારબાદ અચાનક જ સ્ટાફને બદલી નાખવામાં આવ્યો હતો. આ પાછળનું કારણ તેને આજ સુધી ખબર પડી નથી. અનિલના મતે, તેને તારીખ તો એકદમ યાદ નથી પરંતુ ‘કેદારનાથ’ રિલીઝ સમયની આ વાત છે અને સુશાંતે ‘છિછોરે’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું.

સુશાંતને મોતનો ડર લાગતો હતો
અનિલે વાતચીતમાં દાવો કર્યો હતો કે સુશાંતને મોતનો ઘણો જ ડર લાગતો હતો. તેના મતે, એકવાર તે સુશાંતની સાથે હતો. તેણે સુશાંતને લેવા જવાનું હતું. જોકે, તેને કારમાં ઊંઘ આવી ગઈ અને તેને સુશાંતને લેવામાં મોડું થઈ ગયું હતું. તો સુશાંત ત્યાં આવી ગયો હતો અને ડ્રાઈવરને પૂછ્યું હતું કે તે સૂઈ ગયો છે કે? પછી સુશાંતે ડ્રાઈવરને કાર ચલાવવા ના આપી અને જાતે જ કાર ડ્રાઈવ કરીને ગયો હતો. અનિલ બીજી કારમાં આવ્યો હતો. અનિલના મતે, સુશાંતને ડર હતો કે ડ્રાઈવરની ઊંઘને કારણે કોઈ અકસ્માત ના સર્જાય. જે વ્યક્તિને મોતનો આટલો ડર લાગતો હોય તે આત્મહત્યા કરી શકે નહીં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant's ex-driver: Serious allegation against Rhea by the she had complete control over Sushant


from Divya Bhaskar https://ift.tt/33XoW3V
https://ift.tt/30Tf4WQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...