સ્વતંત્રતા દિવસના અવસર પર ટીવી શો ‘મેરે સાઈ’ના મેકર્સે લોકમાન્ય તિળકના રોલ માટે હિન્દી અને મરાઠી સિનેમાના એક્ટર અનંત મહાદેવનને સિલેક્ટ કર્યા છે. સિરિયલના ટ્રેકમાં લોકમાન્ય તિળક અને સાઈબાબાની મુલાકાત વિશે દેખાડવામાં આવશે. સાઈબાબાએ લોકમાન્ય તિળકનું અપહરણ થતું રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ લોકમાન્ય તિળકની સાઈ પ્રત્યે આસ્થા વધારે મજબૂત થઇ ગઈ હતી.
આ રોલ વિશે અનંતે કહ્યું કે, આ શોનો ભાગ બનવું મારા માટે સારો અનુભવ અને તક છે. હું શોના નિર્માતાનો આભારી છું કે તેમણે મને લોકમાન્ય તિળકના રોલ માટે સિલેક્ટ કર્યો. આ સાઈ ચરિત્રની લોકપ્રિય કહાની છે. હું બાળપણમાં તેમની કથા વિશે સાંભળતો હતો.
વધુમાં અનંતે કહ્યું કે, સિરિયલમાં સાઈનો રોલ પ્લે કરનારા તુષાર અને હું ઘણા સમયથી એકબીજાને જાણીએ છીએ, પરંતુ અમને ક્યારેય સાથે કામ કરવાની તક મળી નહોતી. તેમની સાથે કામ કરવાનો આ સારો સમય છે મને આશા છે કે, દર્શકોને આ ટ્રેક પસંદ આવશે.
અનંત મહાદેવને જણાવ્યું કે, સાઈ અને લોકમાન્ય તિળકની મુલાકાત તિળકના જીવનનો સૌથી મોટો વળાંક હતો. હું ઈચ્છું છું કે આજની પેઢી આ કથાનું મહત્ત્વ જાણે. અનંત મહાદેવન ખિલાડી, બાઝીગર, બાદશાહ અને યસ બોસ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/340FyHT
https://ift.tt/2Y4dlMv