અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નારાયણ રાણેએ ફરીથી પ્રશ્નો કરી શિવેસના પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, શિવસેનાના નિવેદનથી મને શંકા થાય છે. મુંબઈ પોલીસ પણ દબાણમાં આવીને તપાસ કરી રહી છે.
એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં નાયાયણ રાણેએ કહ્યું, સુશાંતને ન્યાય અપાવવા માટે CBI તપાસ થવી જોઈએ. સુશાંત અને દિશા સલિયનના પણ કનેક્શન છે. સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચી જતા આશા વધી ગઈ છે.
‘બિહાર પોલીસના SPને ક્વોરન્ટીન કરવાની કોઈ જરૂર નહોતી’
વધુમાં તેમણે જણાવ્યું કે, આ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉત અવરોધ લાવી રહ્યા છે. તેઓ કેમ આવું કરે છે? તેમના આવા કામથી મને શંકા જાય છે કે આ કેસ સાથે તેમનું કોઈક કનેક્શન છે. તપાસ માટે આવેલી બિહાર પોલીસના SPને ક્વોરન્ટીન કરવાની કોઈ જરૂર નહોતી. તેઓ મુંબઈ આવ્યા તેવા અરેસ્ટ કેમ થઇ ગયા? આનો અર્થ એ જ થાય છે કે આ કેસની કોઈ પણ વાત બહાર ન જાય તેનું ધ્યાન મુંબઈ પોલીસ રાખી રહી છે.
રાજ્યના વધુ એક મંત્રી પર નિશાન સાધતા કહ્યું કે, મેં આદિત્ય ઠાકરેનું તો નામ જ લીધું નથી. આ કેસ સાથે તેને લોકો લેવા-દેવા નથી તો પણ તે કેમ બોલે છે? મુંબઈ પોલીસ દબાણ હેઠળ તપાસ કરી રહી છે અને CBI તપાસથી સત્ય સામે આવી જશે.
આની પહેલાં 5 ઓગસ્ટે નારાયણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, તેની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કોઈકને બચાવવાના પ્રયત્નો કરી રહી છે. 13 જૂનની રાતે સુશાંતના ઘરે પાર્ટી થઇ હતી અને તે પાર્ટીમાં મહારાષ્ટ્રના એક મંત્રી પણ હાજર હતા. પાર્ટી પૂરી થઇ ગયા પછી મંત્રી તેમના ઘરે ગયા અને પછી સવારે સુશાંતનો મૃતદેહ મળ્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PVCEMz
https://ift.tt/3arQkYS