સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હાલમાં જ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે એક ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. આ પ્રેયર મીટમાં વિશ્વભરના લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. શ્વેતાએ કહ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ યોજાયેલ આ પ્રેયર મીટમાં વિશ્વભરના 10 લાખથી વધુ લોકો સામેલ થયા હતા.
સોશિયલ મીડિયામાં પ્રેયર મીટની તસવીરો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, સુશાંત માટે પ્રાર્થના કરવા માટે વિશ્વભરના એક મિલિયન (10 લાખ)થી વધુ લોકો સામેલ થયા હતા. આ એક આધ્યાત્મિક ક્રાંતિ છે અને આ વિશ્વભરમાં ઝડપથી આગળ વધી રહી છે. અમારી પ્રાર્થના અનુત્તર રહેશે નહીં. હેશટેગ સાથે GlobalPrayers4SSR, CBIForSSR, Godiswithus, JusticeForSushant લખ્યું હતું.
અંકિતા લોખંડેએ કમેન્ટ કરી
શ્વેતાની પોસ્ટ પર સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ કમેન્ટ કરતાં કહ્યું હતું, પ્રાર્થનાઓ કંઈ પણ બદલી શકે છે.
14 ઓગસ્ટે પોસ્ટ શૅર કરીને માહિતી આપી હતી
શ્વેતાએ 14 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં ગ્લોબલ પ્રેયર મીટનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, સુશાંત સિંહ રાજપૂત માટે 24 કલાક ગ્લોબલ સ્પ્રિચ્યુઅલ તથા પ્રેયર ઓબ્ઝર્વેશન યોજવામાં આવ્યું છે અને હું તમામને અપીલ કરું છું કે તમે અમારી સાથે સામેલ થાવ, જેથી સત્ય સામે આવી શકે અને આપણાં પ્રેમાળ સુશાંત માટે અમને ન્યાય મળી શકે.
I request you all to please join us for Global 24-hour spiritual and prayer observation for Sushant Singh Rajput, so that the truth prevails and we find justice for our beloved Sushant #GlobalPrayers4SSR 🙏❤️🙏 #CBIForSSR #Warriors4SSR #justiceforSushantSinghRajput #Godiswithus pic.twitter.com/glXWJLf3zl
— shweta singh kirti (@shwetasinghkirt) August 14, 2020
કાળ ભૈરવની ઉપાસના કરી
શ્વેતાએ 17 ઓગસ્ટના રોજ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે પૂજા કરતી જોવા મળી હતી. વીડિયો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, આજે કાળ ભૈરવની પ્રાર્થના કરી અને તેમને સત્ય તથા અમારું માર્ગદર્શન કરવાનું કહ્યું.
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Aug 16, 2020 at 10:43pm PDT
ફેમિલી વીડિયો શૅર કર્યો હતો
આ પહેલા શ્વેતાએ સોશિયલ મીડિયામાં સુશાંત સાથેનો એક ફેમિલી વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ચારેય ભાઈ-બહેન મસ્તી કરતા જોવા મળ્યા હતા.
View this post on InstagramA post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Aug 16, 2020 at 10:26am PDT
સુશાંતના મોતને બે મહિના થયા
સુશાંત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી છે. જોકે, 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની પ્રેમિકા સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારબાદ બિહાર સરકારની ભલામણ પર આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. સુશાંતના પરિવારે રિયા પર 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આક્ષેપ મૂક્યો છે. ED પણ આ કેસની તપાસ કરી રહ્યું છે.
More than a million joining from all over the world to pray for Sushant 🙏. It’s a spiritual revolution and it is gaining momentum around the world, our prayers will not go unanswered. #GlobalPrayers4SSR #CBIForSSR #Godiswithus #JusticeForSushant pic.twitter.com/3X2Vb8BXB8
— shweta singh kirti (@shwetasinghkirt) August 16, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/312dF05
https://ift.tt/2Czwv5B