બોમ્બે હાઈકોર્ટમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ કોઈ સ્વતંત્ર એજન્સી કે SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ને સોંપવાની માગને લઇને પિટિશન ફાઈલ થઇ છે. દિલ્હીના NGO ‘લેટ્સ ટોક’ની હેડ કંચન રાયે આ પિટિશન ફાઈલ કરી છે. પિટિશનમાં આરૂષી તલવારની હત્યાની જેમ સુશાંત સિંહની આત્મહત્યા અને રિયા ચક્રવર્તી પર સવાલો મૂકીને ઘણી વણઉકેલાયેલી વસ્તુઓની વાત કરી છે.
રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. તો આ તરફ સુશાંતના પિતા તરફથી સિનિયર એડવોકેટ વિકાસ સિંહ પણ કેવિએટ ફાઈલ કરશે. વિકાસ સિંહના જણાવ્યા પ્રમાણે, તેઓ પિટિશનના દરેક પ્રશ્નોનો જવાબ કોર્ટમાં આપશે. જેથી સુશાંતને ન્યાય મળે અને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારા સુધી કાનૂન પહોંચી જાય.
Why I think Sushanth Singh Rajput was murdered pic.twitter.com/GROSgMYYwE
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020
30 જુલાઈએ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘સુશાંતે આત્મહત્યા કરી નથી, પણ તેની હત્યા થઇ છે.’ મને આ બધા કારણોથી લાગે છે કે સુશાંતની હત્યા થઇ છે. ટ્વીટમાં તેમણે એક ડોક્યુમેન્ટ શેર કરીને સુશાંતના ગળા પરના નિશાન વિશે કહ્યું. આ ડોક્યુમેન્ટમાં સુશાંત સાથે જોડાયેલા 26 પોઈન્ટની વાત કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો કે, આમાંથી માત્ર બે થિઅરી જ આત્મહત્યાને સપોર્ટ કરે છે, બાકીના 24 પોઈન્ટ હત્યા તરફ જ ઈશારો કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39DmC2K
https://ift.tt/2EszTzz