Saturday, August 1, 2020

સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહનો દાવો- 25 જુલાઈ સુધી ખુદ સિદ્ધાર્થ રિયા વિરુદ્ધ જાણકારી આપી રહ્યો હતો, અચાનક તેનો વ્યવહાર બદલી ગયો

થોડા દિવસ પહેલાં સુશાંત સિંહના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીએ તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેને રિયા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપવા પ્રેશર કરી રહ્યા છે. આ બાબતે સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહે કડક પ્રતિક્રિયા આપી છે. તેના જણાવ્યા અનુસાર 25 જુલાઈ સુધી સિદ્ધાર્થ ખુદ સુશાંતના પરિવારને રિયા વિરુદ્ધ જાણકારી આપી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તેનું વર્તન બદલાઈ ગયું.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં વિકાસે કહ્યું, 25 જુલાઈ સુધી તે પરિવારના સંપર્કમાં હતો અને એવું કહીને મદદ કરવાની ટ્રાય કરતો રહ્યો કે સુશાંત સાથે જે થયું તેના માટે રિયા ચક્રવર્તી જવાબદાર છે. અચાનક તેનું વર્તન બદલાઈ ગયું. મને નથી ખબર કે શું થયું? પરંતુ મને આશા છે કે પોલીસ ટૂંક સમયમાં કેસના મૂળ સુધી પહોંચીને જાણી લેશે કે આ કેસમાં પીઠાણીનો રોલ શું છે અને તેની પાસે એવી કઈ માહિતી છે જે તેણે શેર નથી કરી.

આ છે સિદ્ધાર્થ પીઠાણીનો આરોપ
વાત એમ છે કે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક યાચિકા ફાઈલ કરીને તેની વિરુદ્ધ પટનામાં ફાઈલ થયેલ કેસ મુંબઈ શિફ્ટ કરવાની અપીલ કરી હતી. તેમાં તેણે એવો દાવો કર્યો કે સિદ્ધાર્થ પીઠાણીએ મુંબઈ પોલીસને મેલ કરીને સુશાંતના પરિવાર દ્વારા તેને પ્રેશર કરવાની વાત કરી છે. સિદ્ધાર્થના મેલ મુજબ સુશાંતના ફેમિલી મેમ્બર્સ અને એક સિનિયર IPSએ તેને કોલ કર્યો. 22 અને 27 જુલાઈના આ કોલ આવ્યા અને તેને કહેવામાં આવ્યું કે તે તેના સ્ટેટમેન્ટમાં રિયાએ સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું એવી વાત કરે.

પીઠાણીએ રિયાને મેલ કર્યો, તો તેની વિશ્વસનીયતા પર સંદેહ: વિકાસ સિંહ
સિદ્ધાર્થના મેલ વિશે વિકાસ સિંહે કહ્યું કે, આ એકદમ સરપ્રાઈઝિંગ છે. જો આ મેલ મુંબઈ પોલીસને કરવામાં આવ્યો હતો તો પછી રિયા સુધી કઈ રીતે પહોંચ્યો? જ્યારે આ મેલ પબ્લિક લાઇટમાં આવ્યો ત્યાં સુધી તો રિયાને એક FIRમાં આરોપી ગણાવી દેવામાં આવી હતી. માટે આ વાત પર સવાલ જ ઊભો નથી થતો કે આ પોલીસે તેને જણાવ્યું. જો પીઠાણીએ આ મેલ રિયાને મોકલ્યો હોય તો પછી તેની વિશ્વસનીયતા પર સંદેહ છે.

સિદ્ધાર્થે જ સૌથી પહેલા સુશાંતને મૃત હાલતમાં જોયો હતો
વિકાસ સિંહે આગળ પીઠાણી પર નિશાન સાધતા કહ્યું, આ છોકરો સુશાંત સાથે જ રહેતો હતો અને તેને જ સૌથી પહેલા સુશાંતને મૃત હાલતમાં જોયો હતો. માટે જ્યારે તેને ખબર પડી કે દરવાજો બંધ છે તો તેને દરવાજો ત્યાં સુધી ન ખોલ્યો જ્યાં સુધી તેની બહેન આવી ન ગઈ. તેણે દોઢ કલાક રાહ જોઈ.

મને આ 15 કરોડ વિશે કોઈ જાણકારી નથી: સિદ્ધાર્થ
શુક્રવારે ANI સાથેની વાતચીતમાં સિદ્ધાર્થે કહ્યું હતું, સુશાંતના પરિવારે મને બોલાવ્યો અને મને કહ્યું રિયાએ 15 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું છે અને મારે મારા સ્ટેટમેન્ટમાં આ વાત કહેવાની છે. મેં તેમને જવાબ આપ્યો કે હું માત્ર એ જ કહીશ જે વાતની જાણકારી મને છે અને જેના પર મને ભરોસો છે.

હું તેમને સુશાંતના મૃત્યુ પછી મળ્યો હતો. પરંતુ અચાનક આ ફેરફાર વિશે જાણતો ન હતો. ત્યારબાદ મેં પોલીસનો સંપર્ક કર્યો અને બધું જણાવી દીધું. તેમણે મને ઈમેલ એડ્રેસ આપ્યું અને માહિતી શેર કરવા કહ્યું. મેં પોલીસને જણાવ્યું કે સુશાંતનો પરિવાર મને કંઈક આવું સ્ટેટમેન્ટ આપવા માટે કહી રહ્યા છે. કાશ હું આ ટ્રાન્ઝેક્શન વિશે ખરેખર જાણતો હોત. હું સ્ટેટમેન્ટ આપી દેત. મને આ 15 કરોડ વિશે કોઈ માહિતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide Case: Actor's Friend Siddharth Pithani Gave Information To His Family Against Rhea Chakraborty, Suddenly, He Has Done A Volte face


from Divya Bhaskar https://ift.tt/2EyQdik
https://ift.tt/33eiOUp

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...