એક્ટર સુશાંત સિંહ માટે ન્યાય માગણીની કવાયત દિવસેને દિવસે મોટી થઇ રહી છે. શનિવારે યોગ ગુરુ બાબા રામદેવે પણ એક્ટરના પરિવારને ન્યાય અપાવવા માટેની માગ કરી છે. યોગ ગુરુએ હરિદ્વાર સ્થિત પતંજલિ યોગ પીઠમાં સુશાંતની આત્માની શાંતિ માટે એક યજ્ઞ કર્યો.
15 ઓગસ્ટે બાબા રામદેવે એક વીડિયો ટ્વીટ કરી લખ્યું, મેં શ્રી સુશાંતજીના પરિવારજનો સાથે વાત કરી. તેમનું દુઃખ સાંભળ્યું તો મારી પણ આત્મા ધ્રુજી ઊઠી, અમે બધા પતંજલિમાં તે દિવંગત આત્મા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, સુશાંત અને તેના પરિવારને ન્યાય મળે.
બાબા રામદેવનું ટ્વીટ
मैंने श्री सुशान्तजी के परिजनों से बात की,उनका दर्द सुना तो मेरी भी रूह कांप उठी,हम सब पतंजलि में उस दिवंगत आत्मा के लिये प्रार्थना कर रहे हैं,सुशान्त राजपूत और उनके परिजनों को न्याय मिले,@ANI@Republic_Bharat@indiatvnews@aajtak #SushantSinghRajput #justicforsushatsinghrajput pic.twitter.com/tW2nqjV27B
— स्वामी रामदेव (@yogrishiramdev) August 15, 2020
વીડિયોમાં બાબા રામદેવે કહ્યું, આજે આપણે સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ અને આ આઝાદી આપણને એટલા માટે મળી છે કે દરેકને ન્યાય મળે. કોઈ સાથે અન્યાય ન થાય. બધાને જીવવા માટે સુખી જીવન મળે. સુશાંતના જીવનને હત્યારાઓએ છીનવી લીધું. હવે બસ તેની દિવંગત આત્માને ન્યાય મળી જાય. તે પરિવારને તો ન્યાય મળે જે ન્યાય માટે દરેક દરવાજે ઠોકર ખાઈ રહ્યા છે. અમે લોકો એ જ પ્રાર્થના કરીએ છીએ કે સુશાંતને ઝડપથી ન્યાય મળે.
સુશાંત માટે ગ્લોબલ પ્રેયર યોજાઈ
આજના દિવસે શનિવારે જ સુશાંતની બહેન શ્વેતા સિંહે ગ્લોબલ પ્રેયરનું આયોજન કર્યું. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ #GlobalPrayersForSSRમાં સામેલ થવા લોકોને અપીલ કરી હતી. હજારો લોકો સોશિયલ મીડિયા પર સુશાંતના મૃત્યુ માટે CBI તપાસની માગ કરી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3kMaaml
https://ift.tt/3auyqEM
No comments:
Post a Comment
If you have any doubts please let me know!