Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/17-6_1592381371.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/17/17-6_1592381371.jpg. Show all posts

Wednesday, June 17, 2020

સુશાંત સિંહની આત્મહત્યાને લઈને બિહાર કોર્ટમાં સલમાન ખાન, કરણ જોહર, સંજય લીલા ભણસાલી,એકતા કપૂર સહિત 8 લોકો પર કેસ દાખલ થયો

સુશાંત સિંહે રવિવારે તેના મુંબઈના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ ઇન્ડસ્ટ્રીમાં નિપોટિઝમને લઈને લોકો તેમનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકો અમુક સેલેબ્સને આવા કેમ્પ ચલાવવા બદલ ટાર્ગેટ કરી રહ્યા છે. હવે બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહના આત્મહત્યાના મામલે કેસ ફાઈલ થયો છે.

સુધીર કુમાર ઓઝા નામના વકીલે આ કેસ ફાઈલ કર્યો છે. તેમણે કહ્યું કે, મેં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહીત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહની આત્મહત્યા સાથેના કનેક્શનમાં IPCના સેક્શન 306, 109, 504 અને 506 હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ ફરિયાદમાં તેમણે એવું કહ્યું છે કે, સુશાંતને સાત ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવ્યો હતો અને અમુક ફિલ્મ્સ તેની રિલીઝ કરવામાં આવી ન હતી. તે આવું અંતિમ પગલું ભરે તે માટે આવી સ્થિતિ ક્રીએટ કરવામાં આવી હતી.

અગાઉ કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ખુલાસો કર્યો હતો કે સુશાંતે સાઈન કરેલ સાત ફિલ્મ્સ તેના હાથમાંથી જતી રહી હતી. તેમણે લખ્યું કે, તેણે છ જ મહિનામાં સાત ફિલ્મ્સ ગુમાવી, કેમ? ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા એક અલગ જ લેવલ પર કામ કરે છે અને તે નિષ્ઠુરતાએ એક ટેલેન્ટેડ વ્યક્તિનો જીવ લઇ લીધો.

સગાવાદને લઈને ઘણા એક્ટર્સે ઇન્ડસ્ટ્રી પર આકરા પ્રહાર કર્યા છે. આઉટસાઈડર માટે ઇન્ડસ્ટ્રીમાં કેટલી સ્ટ્રગલ છે તે વિશે કહ્યું છે. સુશાંતની આત્મહત્યા બાદ કંગના રનૌત, ડિરેક્ટર અભિનવ કશ્યપ, પ્રકાશ રાજ, શેખર કપૂર, અનુભવ સિન્હા સહિત ઘણા સેલેબ્સે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલ કેમ્પિંગ પર નિશાન સાધ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput suicide: Case filed against Salman Khan, Karan Johar, others in Bihar court


from Divya Bhaskar https://ift.tt/3hHGiGz
https://ift.tt/2URaXat

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...