સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કેસમાં કોઈ ખાસ પુરાવા મળ્યા નથી. જોકે, અમુક સેલેબ્સ, રાજકારણીએ CBI તપાસની માગ કરી છે. હાલમાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લેટર લખીને CBI તપાસની માગ કરી હતી. હવે તેમના વકીલ ઇશકરણ સિંહે મુંબઈના કમિશ્નરને લેટર લખીને સુશાંતનું ઘર સરખી રીતે સીલ કરવાની માગ કરી છે.
વકીલ ઇશકરણ સિંહ ભંડારીએ હાલમાં જ મુંબઈના કમિશ્નર પરમબિર સિંહને લેટર લખ્યો. તેમાં લખ્યું કે, હું તમને જણાવવા ઈચ્છું છું કે ક્રાઇમ સીનને સુરક્ષિત અને સીલ કરવામાં આવે કારણકે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લેટને સારી રીતે સીલ કરવામાં આવ્યો નથી. મુંબઈ પોલીસ દ્વારા હજુ સુધી ઘર સીલ કરવાનું કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. યોગ્ય રીતે ફ્લેટ સીલ થાય જેથી ઘર સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય. સાથે જ તેમણે સુશાંતની બધી વસ્તુઓને સંભાળીને રાખવાની અપીલ કરી છે.
Dear @MumbaiPolice I have sent a letter for strict sealing of Sushant Singh Rajput’s flat till end of case.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 17, 2020
letter was dispatched on 15th July but due to pandemic impact has still not reached.
Posting it here as time is of essence. pic.twitter.com/JlZTxTlLNc
સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લેટર લખ્યો હતો
તેમાં તેમણે મોદીને સંબોધીને લખ્યું હતું, મને ખાતરી છે કે તમે ફિલ્મ એક્ટર સુશાંત સિંહના મૃત્યુથી માહિતગાર હશો. મારા વકીલ ઇશકરણ ભંડારીએ આ આત્મહત્યાના કેસમાં રિસર્ચ કર્યું છે. FIR ફાઈલ કરાવ્યા બાદ પોલીસ હજુ તપાસ કરી રહી છે.
Dr @Swamy39 letter to @narendramodi for CBI investigation for full & Transparent Justice to Sushant Singh Rajput.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 15, 2020
He will the explain it at 4 pm in easy language for non lawyers-
Link- https://t.co/JZAZwSOfRs pic.twitter.com/mwY5jHF0dG
લેટરમાં સ્વામીએ દાવો કર્યો કે, મને મારા મુંબઈના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા માથા જેનું કનેક્શન દુબઈમાં ડોન સાથે છે તેઓ આ કેસને કવર અપ કરીને એ ચોક્કસ કરવા માગે છે કે રાજપૂતનું મૃત્યુ વોલન્ટરી સુસાઇડ હોય એવું અંતે સાબિત થાય. હું ભારત સરકારના વડાને અરજી કરું છું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ડિરેક્ટલી CBI તપાસ માટે સલાહ આપે અથવા ગવર્નરને CBI તપાસ માટે રાજી કરે. હાલ મુંબઈ પોલીસ પહેલેથી જ કોરોના મહામારીની વ્યવસ્થામાં વ્યસ્ત છે માટે આ કેસ CBIને સોંપવામાં આવશે તો તેમનો ભાર હળવો થશે અને આ જ એકમાત્ર રસ્તો છે લોકોને ભરોસોમાં લેવાનો.
વકીલે ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું
વકીલ ઇશકરણ સિંહે ટ્વિટર પર લોકોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે લખ્યું કે, ઘણા લોકોએ સુશાંતના કેસમાં ન્યાયની આશા છોડી દીધી છે. ત્યારે મેં નિર્ણય લીધો કે લીગલી આના પર કામ કરીશ અને સુનિશ્ચિત કરીશ કે CBI તપાસ થાય.
Lot of people had lost all hope for Justice for Sushant Singh Rajput.
— Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 16, 2020
That’s when I decided & said will legally take up the case and ensure CBI investigation will be done.
Now positive developments happening, it’s still a long road ahead but Justice shall prevail.
આ સેલેબ્સે માગ કરી
સુશાંતના મૃત્યુને સુસાઇડનો એન્ગલ મળતો જોઈ ઘણા સેલેબ્સ આ મુદ્દે વિરોધ જતાવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામી પહેલાં એક્ટર શુખર સુમન, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એક્ટ્રેસ રૂપા ગાંગુલીએ પણ CBI તપાસની માગ કરી છે. એક્ટ્રેસથી રાજકારણી બનેલ રૂપાએ એક્ટરના ગળામાં ફાંસીથી બનેલ નિશાન અને પલંગની ઊંચાઈ જેવા મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. સાથે એવું પણ કહ્યું કે એક સામાન્ય વ્યક્તિ તરીકે તેમને આવા સવાલ સુજ્યા તો મુંબઈ પોલીસ આ એન્ગલથી કેમ તપાસ નથી કરી રહી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WxGIq2
https://ift.tt/2OAdvWK