Saturday, July 18, 2020

સુબ્રમણ્યમ સ્વામીના વકીલે સુશાંત કેસમાં મુંબઈ કમિશ્નરને લેટર લખ્યો, ફ્લેટને સરખી રીતે સીલ કરવાની માગ કરી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી કેસમાં કોઈ ખાસ પુરાવા મળ્યા નથી. જોકે, અમુક સેલેબ્સ, રાજકારણીએ CBI તપાસની માગ કરી છે. હાલમાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લેટર લખીને CBI તપાસની માગ કરી હતી. હવે તેમના વકીલ ઇશકરણ સિંહે મુંબઈના કમિશ્નરને લેટર લખીને સુશાંતનું ઘર સરખી રીતે સીલ કરવાની માગ કરી છે.

વકીલ ઇશકરણ સિંહ ભંડારીએ હાલમાં જ મુંબઈના કમિશ્નર પરમબિર સિંહને લેટર લખ્યો. તેમાં લખ્યું કે, હું તમને જણાવવા ઈચ્છું છું કે ક્રાઇમ સીનને સુરક્ષિત અને સીલ કરવામાં આવે કારણકે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લેટને સારી રીતે સીલ કરવામાં આવ્યો નથી. મુંબઈ પોલીસ દ્વારા હજુ સુધી ઘર સીલ કરવાનું કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. યોગ્ય રીતે ફ્લેટ સીલ થાય જેથી ઘર સાથે કોઈપણ પ્રકારની છેડછાડ ન થાય. સાથે જ તેમણે સુશાંતની બધી વસ્તુઓને સંભાળીને રાખવાની અપીલ કરી છે.

સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદીને લેટર લખ્યો હતો
તેમાં તેમણે મોદીને સંબોધીને લખ્યું હતું, મને ખાતરી છે કે તમે ફિલ્મ એક્ટર સુશાંત સિંહના મૃત્યુથી માહિતગાર હશો. મારા વકીલ ઇશકરણ ભંડારીએ આ આત્મહત્યાના કેસમાં રિસર્ચ કર્યું છે. FIR ફાઈલ કરાવ્યા બાદ પોલીસ હજુ તપાસ કરી રહી છે.

લેટરમાં સ્વામીએ દાવો કર્યો કે, મને મારા મુંબઈના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના મોટા માથા જેનું કનેક્શન દુબઈમાં ડોન સાથે છે તેઓ આ કેસને કવર અપ કરીને એ ચોક્કસ કરવા માગે છે કે રાજપૂતનું મૃત્યુ વોલન્ટરી સુસાઇડ હોય એવું અંતે સાબિત થાય. હું ભારત સરકારના વડાને અરજી કરું છું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ડિરેક્ટલી CBI તપાસ માટે સલાહ આપે અથવા ગવર્નરને CBI તપાસ માટે રાજી કરે. હાલ મુંબઈ પોલીસ પહેલેથી જ કોરોના મહામારીની વ્યવસ્થામાં વ્યસ્ત છે માટે આ કેસ CBIને સોંપવામાં આવશે તો તેમનો ભાર હળવો થશે અને આ જ એકમાત્ર રસ્તો છે લોકોને ભરોસોમાં લેવાનો.

વકીલે ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું
વકીલ ઇશકરણ સિંહે ટ્વિટર પર લોકોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમણે લખ્યું કે, ઘણા લોકોએ સુશાંતના કેસમાં ન્યાયની આશા છોડી દીધી છે. ત્યારે મેં નિર્ણય લીધો કે લીગલી આના પર કામ કરીશ અને સુનિશ્ચિત કરીશ કે CBI તપાસ થાય.

આ સેલેબ્સે માગ કરી
સુશાંતના મૃત્યુને સુસાઇડનો એન્ગલ મળતો જોઈ ઘણા સેલેબ્સ આ મુદ્દે વિરોધ જતાવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામી પહેલાં એક્ટર શુખર સુમન, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, એક્ટ્રેસ રૂપા ગાંગુલીએ પણ CBI તપાસની માગ કરી છે. એક્ટ્રેસથી રાજકારણી બનેલ રૂપાએ એક્ટરના ગળામાં ફાંસીથી બનેલ નિશાન અને પલંગની ઊંચાઈ જેવા મુદ્દે પ્રકાશ પાડ્યો હતો. સાથે એવું પણ કહ્યું કે એક સામાન્ય વ્યક્તિ તરીકે તેમને આવા સવાલ સુજ્યા તો મુંબઈ પોલીસ આ એન્ગલથી કેમ તપાસ નથી કરી રહી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Subramaniam Swamy's Lawyer Wrote To Mumbai Commissioner In Sushant Case, Demanding That The Flat Be Strictly Sealed


from Divya Bhaskar https://ift.tt/2WxGIq2
https://ift.tt/2OAdvWK

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...