રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં પોતાની વિરુદ્ધ પટનામાં થયેલી FIR બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કેસ મુંબઈ ટ્રાન્સફર થાય તેવી માગણી કરી છે. આ અરજીમાં રિયાએ સુશાંતની સાથે લિવ-ઈનમાં રહેવાની વાત સ્વીકારી છે અને કહ્યું હતું કે મૃતકના પિતા પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તેને ખોટી રીતે ફસાવી રહ્યા છે.
રિયાએ અરજીમાં વધુ કહ્યું હતું કે સુશાંત થોડાં સમયથી ડિપ્રેશનમાં હતો અને દવા પણ લેતો હતો. રિયાએ કોર્ટને કહ્યું હતું કે એક્ટરના મૃત્યુ પછી તેને સતત દુષ્કર્મ તથા મોતની ધમકીઓ મળી રહી છે અને તેને કારણે તે આઘાતમાં છે.
ખોટા રીતે ફસાવામાં આવી
રિયાએ તરફથી વકીલે અરજીમાં કહ્યું હતું, અરજીકર્તા એક એક્ટ્રેસ છે અને 2012થી એક્ટિંગ કરે છે. હાલમાં અજીબોગરીબ માહોલ તથા તથ્યોમાં મૃતકના પિતા કૃષ્ણ કિશોર સિંહ અરજીકર્તાને વર્તમાન પરિસ્થિતિમાં ખોટી રીતે ફસાવી રહ્યા છે.
સુશાંતના મોતને કારણે ઘેરો આઘાત
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે અરજીકર્તાને મોત તથા દુષ્કર્મની ધમકીઓ મળી રહી છે અને મૃતકના જવાથી અરજીકર્તા ઘેરા આઘાતમાં છે. દુષ્કર્મ તથા મોતની સતત મળતી ધમકીઓને લઈ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
બંને લિવ-ઈનમાં રહેતા હતા
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે આ વાતનો ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે કે મૃતક તથા અરજીકર્તા એક વર્ષથી લઈ આઠ જૂન, 2020 સુધી લિવ-ઈનમાં રહેતા હતા.
સુશાંત ડિપ્રેશનની દવા લેતો હતો
અરજીમાં રિયાએ એમ પણ કહ્યું છે કે મૃતક થોડાં સમયથી ડિપ્રેશનમાં હતો અને દવા પણ લેતો હતો. 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ezh65L
https://ift.tt/3gbnWMN
No comments:
Post a Comment
If you have any doubts please let me know!