Thursday, July 30, 2020

બહેન મિતુએ બિહાર પોલીસને કહ્યું, ‘હવે ક્યારેય પાછી નહિ આવું’ એમ કહીને રિયા 8 જૂને સુશાંત સાથે ઝઘડો કરી સામાન લઈને જતી રહી હતી

સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુના દોઢ મહિના પછી તેના સુસાઈડ કેસમાં રોજ કઈક નવો વળાંક આવી રહ્યો છે. મુંબઈ પોલીસ સુસાઈડનું કારણ જાણવા માટે અત્યાર સુધી 40થી વધારે લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

આ દરમિયાન સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ અશોક ચક્રવર્તી અને બે મેનેજર વિરુદ્ધ FIR નોંધી બધા પર છેતરપિંડી અને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ લગાવ્યો છે. હાલ બિહારની પોલીસ ટીમ મુંબઈમાં તપાસ માટે લાગી ગઈ છે. બિહાર પોલીસે મુંબઈમાં રહેતી સુશાંતની બહેન મિતુનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે. મિતુએ 8 જૂનથી લઈને 12 જૂનની દરેક માહિતી પોલીસને આપી છે.

રિયા અને સુશાંતનો ઝઘડો થયો હતો
મિતુએ પોલીસને જણાવ્યું કે, 8 જૂને રિયાએ મને કોલ કરીને કહ્યું કે તેનો સુશાંત સાથે ઝઘડો થયો છે. ત્યારબાદ હું સુશાંતને મળવા તેના બાંદ્રા સ્થિત ઘરે ગઈ હતી અને થોડા દિવસ ભાઈ સાથે રહી. આ દરમિયાન સુશાંતે મને રિયા સાથેના ઝઘડો અને ઘર છોડવાની વાત કહી. રિયા તેની સાથે પોતાનો અને સુશાંતનો સામાન પણ લઇ ગઈ હતી. રિયાએ જતી વખતે એમ પણ કહ્યું હતું કે, ‘હવે તે ક્યારેય પાછી નહિ આવે.’

મિતુએ કહ્યું કે, ‘આ વાતને લઇને સુશાંત ઘણો અપસેટ થઇ ગયો હતો. મેં તેને શાંત કરવા માટે ઘણા પ્રયત્ન કર્યા. તેની સાથે 4 દિવસ રહી પણ મારે બાળકો નાના હોવાથી 12 જૂને ઘરે પરત જવું પડ્યું, હું ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારી શકું કે મારો ભાઈ આવું કોઈ પગલું ભરી લેશે.’

મિતુએ વધુમાં જણાવ્યું કે, ‘14 જૂને મને સિદ્ધાર્થ પીઠાનીનો કોલ આવ્યો હતો કે સુશાંત તેના રૂમનો દરવાજો ખોલી રહ્યો નથી અને ઘણા સમયથી બેડરૂમમાં જ છે. હું તરત જ તેના ઘરે ગઈ તેને ફોન કરતી રહી પણ કોઈ જવાબ ન મળ્યો. ઘરે પહોંચ્યા પછી મેં રૂમની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી અને દરવાજો ખોલતો તો જોયું સુશાંતની બોડી પંખા સાથે લટકેલી હતી. હું સ્તબ્ધ થઇ ગઈ મને ખબર ન રહી કે શું કરું. થોડા સમય પછી મુંબઈ પોલીસ આવી અને તપાસ શરુ કરી.’

સુશાંત અને રિયા આશરે દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા. તેઓ મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં ભાડે ફ્લેટમાં લિવ ઇનમાં રહેતા હતા. લોકડાઉનમાં પણ રિયા સુશાંત સાથે જ રહેતી હતી પરંતુ 8 જૂને તે ઘર છોડીને તેના માતા-પિતાના ઘરે જતી રહી અને 14 જૂને સુશાંતે આત્મહત્યા કરી લીધી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sister Mitu Tells Bihar Police Rhea Chakraborty Left Sushant Singh Rajput's House With His Belongings After A Fight


from Divya Bhaskar https://ift.tt/30dxe5a
https://ift.tt/335o1Ot

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...