ફિલ્મમેકર અનુરાગ કશ્યપે તાજેતરમાં એક પછી એક ટ્વીટ કરીને કંગના રનૌતને લઈ વાત કરી હતી. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી કંગનાએ બોલિવૂડમાં ચાલતાનેપોટિઝ્મ તથા કેમ્પને લઈ નિવેદનો આપ્યા છે અને બોલિવૂડના દિગ્ગજો પર ગંભીર આક્ષેપો કર્યાં છે. આ વાતને લઈ અનુરાગ કશ્યપે કહ્યું હતું કે તે આ નવી કંગનાને ઓળખતો નથી.
અનુરાગે એક પછી એક ટ્વીટ કરી
અનુરાગ કશ્યપે સૌ પહેલી ટ્વીટમાં કંગનાનો ‘મણીકર્ણિકા’ રિલીઝ થઈ ત્યારબાદનો એક વીડિયો શૅર કર્યો હતો અને તેને લઈ કહ્યું હતું, કાલે કંગનાનો ઈન્ટરવ્યૂ જોયો. એક સમયે તે મારી સારી મિત્ર હતી. મારી દરેક ફિલ્મ પર મને પ્રોત્સાહન આપતી હતી. જોકે, આ નવી કંગનાને હું ઓળખતો નથી. હમણાં તેનો આ ડરામણો ઈન્ટરવ્યૂ પણ જોયો. આ ઈન્ટરવ્યૂ ‘મણિકર્ણિકા’ રિલીઝ થઈ પછી તરત જ આવ્યો હતો.
સફળતા તથા તાકતનો નશો દરેકને બહેકાવે છે. પછી તે ઈનસાઈડર હોય કે આઉટસાઈડર. ‘મારામાંથી શીખો અને મારા જેવો બનો’ આ વાતો મેં 2015 પહેલાં ક્યારેય તેની પાસેથી સાંભળી નહોતી. ત્યારથી લઈને અત્યાર સુધી વાત ત્યાં સુધી આવી ગઈ કે જે મારી સાથે નથી તે બધા જ સ્વાર્થી અને ચમચાઓ છે.
Success और ताक़त का नशा हर किसीको बराबर बहकाता है , चाहे वो insider हो या outsider। “मुझसे सीखिए , मेरे जैसा बनिए”, यह बात मैंने २०१५ से पहले उसके मुँह से कभी नहीं सुनी। और तब से अब तक बात यहाँ आ पहुँची है कि जो मेरे साथ नहीं है वो सब मतलबी और चापलूस हैं।
— Anurag Kashyap (@anuragkashyap72) July 20, 2020
તમામ સફળ ડિરેક્ટર્સને ગાળો આપવી, એડિટમાં બેસીને સાથી કલાકારોના રોલ કાપે છે, એક સમયે કંગના સાથે કામ કરનાર ડિરેક્ટર્સ આજે તેનાથી દૂર ભાગે છે. જો કંગનાને લાગતું હોય કે બીજાને દબાવીને તે તાકતવર બની છે તો...
કંગનાને અરીસો ના બતાવીને તમે તેને માથે ચઢાવીને તમે તેને જ ખતમ કરી રહ્યાં છો. મારે વધું કંઈ નથી કહેવું. શું બકવાસ કરી રહી છે? અને ધડ માથા વગરની વાત કરે છે. આ બધાનો અંત આ જ થશે. હું તેને બહું માનું છું અને આ કંગના મારાથી સહન થઈ શકતી નથી. બાકી બોલે ના બોલે...
उसे कंगना को आइना ना दिखा के और उसे सर पे चढ़ा के, आप उसी को खतम कर रहें हैं । मुझे और कुछ नहीं कहना है। क्या बकवास कर रही है ? और कुछ भी बेसिरपैर बोल रही है। इन सब का अंत यहीं होगा । और चूँकि मैं उसे बहुत मानता हूँ और यह कंगना मुझसे बर्दाश्त नहीं हो रही है। बाक़ी बोलें ना बोलें
— Anurag Kashyap (@anuragkashyap72) July 20, 2020
હું બોલીશ, બહું થઈ ગયું. જો તારા ઘરના લોકોને આ નથી દેખાતું, તારા મિત્રોને આ નથી દેખાતું તો પછી સાચી વાત એ છે કે દરેક લોકો તારો ઉપયોગ કરે છેઅને આજે તારું પોતાનું કોઈ નથી. બાકી તારી મરજી, મને ગાળો આપવી હોય તો આપો.
मैं बोलूँगा @KanganaTeam ।बहुत हो गया। और अगर यह तुम्हारे घर वालों को भी नहीं दिखता और तुम्हारे दोस्तों को भी नहीं दिखता तो फिर एक ही सच है की हर कोई तुम्हारा इस्तेमाल कर रहा है और तुम्हारा अपना आज कोई नहीं है । बाक़ी तुम्हारी मर्ज़ी, मुझे जो गाली बकनी है बको ।
— Anurag Kashyap (@anuragkashyap72) July 20, 2020
ઉલ્લેખનીય છે કે અનુરાગે કંગનાની ફિલ્મ ‘ક્વીન’ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fQhdYk
https://ift.tt/3eGEsCY