મુંબઈમાં લીલાવતી હોસ્પિટલમાંથી રજા મળ્યાના એક દિવસ બાદ સંજય દત્તે થોડા દિવસ માટે કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી છે. મંગળવાર સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે આ માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, તેઓ મેડિકલ ટ્રીટમેન્ટ માટે આ બ્રેક લઈ રહ્યા છે.
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું, 'હાય મિત્રો, હું કેટલીટ મેડિકલ ટ્રીટમેન્ટ માટે કામમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે, અને હું મારા તમામ શુભેચ્છકોને વિનંતી કરું છું કે તેઓ જરાય ચિંતા ન કરે અને બિનજરૂરી ચિંતા કે અફવાઓ પર ધ્યાન ન આપે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું જલ્દીથી પાછો ફરીશ. '
— Sanjay Dutt (@duttsanjay) August 11, 2020
એક દિવસ પહેલા હોસ્પિટલમાંથી રજા મળી હતી
એક દિવસ પહેલા સંજયને સોમવારે હોસ્પિટલમાંથી રજા મળી હતી. 61 વર્ષીય સંજય દત્તને આઠ ઓગસ્ટના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ અહીં તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
Actor Sanjay Dutt (in file pic) who was admitted to Lilavati Hospital on August 8 after he complained of breathlessness has been discharged: Lilavati Hospital, Mumbai
— ANI (@ANI) August 10, 2020
He announced on August 8 that his #COVID19 report was negative pic.twitter.com/jxSlBANOZ5
પ્રથમ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો
શનિવાર, આઠ ઓગસ્ટના રોજ સંજય દત્ત હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો કોરોના એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ PCR માટે સ્વૉબ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ગભરાટ થતી હતી.
સંજયે ટ્વિટર પર હેલ્થ અપડેટ આપી હતી
સંજયે ટ્વિટર પર લખ્યું હતું, હું તમને બધાને જણાવવા માગું છું કે હું એકદમ સ્વસ્થ છું. હાલ મેડિકલ દેખરેખ હેઠળ છું અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે આવી જઈશ. તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.
Just wanted to assure everyone that I’m doing well. I’m currently under medical observation & my COVID-19 report is negative. With the help & care of the doctors, nurses & staff at Lilavati hospital, I should be home in a day or two. Thank you for your well wishes & blessings 🙏
— Sanjay Dutt (@duttsanjay) August 8, 2020
સંજયને કોઈ સમસ્યા નથી
રવિવારે સંજયના નજીકના મિત્ર અને ફિલ્મ ડાયરેક્ટર અજય અરોરા ઉર્ફ બિટ્ટુએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 'સંજયને કોઈ મોટી સમસ્યા નથી.બદલાતા હવામાનને કારણે તેણે થોડીક તકલીફ થઈ હતી. હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેણે વિચાર્યું કે બાકીના ટેસ્ટ પણ કરાવી લેવા જોઈએ. જો કે, તેમને કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો છે'.
સંજય દત્તની અપકમિંગ ફિલ્મ 'સડક -2' 28 ઓગસ્ટે OTT પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થશે.
View this post on InstagramA post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) on Aug 10, 2020 at 12:03am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XMCJGn
https://ift.tt/3gRYz2U