Sunday, August 9, 2020

એક્ટરમાં કોઈ ગંભીર લક્ષણ દેખાતા નથી, રૂટિન ચેકઅપ માટે હજુ પણ દાખલ છે, તેની પત્ની અને બાળકો ચાર મહિનાથી દુબઈમાં છે

મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ સંજય દત્તની તબિયત હાલ સ્થિર છે. રિપોર્ટ પ્રમાણે, 61 વર્ષીય એક્ટરમાં કોઈ પણ ગંભીર લક્ષણ દેખાયા નથી. તે સ્વસ્થ છે અને અમુક રૂટીન ચેકઅપ માટે ત્યાં જ દાખલ છે. આ ચેકઅપ પૂરો થઇ ગયા પછી તે હોસ્પિટલથી ઘરે આવી જશે. શનિવારે શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ થયો હતો.

સંજયની પત્ની અને બાળકો ચાર મહિનાથી દુબઈમાં છે.
સંજય હાલ મુંબઈમાં એકલો જ છે. તેની પત્ની માન્યતા અને સંતાન ઇકરા અને શાહરાન માર્ચ મહિનામાં લોકડાઉન થઇ ગયા પછી દુબઈમાં જ છે. જો કે , ફોન કોલ અને ફેસટાઈમથી તેઓ સતત સંપર્કમાં છે.

પ્રથમ કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો
શનિવારે સંજય દત્ત હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો કોરોના એન્ટિજન ટેસ્ટ કર્યો અને તે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ PCR માટે સ્વોબ ટેસ્ટ કર્યો હતો. હાલ ICUના કોવિડ વોર્ડમાં દાખલ છે. રિપોર્ટ પ્રમાણે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

‘વાતાવરણ બદલતા તેને થોડી તકલીફ થઈ’
સંજય દત્ત એકાદ દિવસમાં તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ જશે. તેમના મિત્ર અજય અરોરા(બિટ્ટુ)એ આ વાતની પુષ્ટિ કરી છે. બિટ્ટુ તેના બેનર હેઠળ બનેલી નેક્સ્ટ ફિલ્મ ‘બ્લોકબસ્ટર ગેંગ’નો ડિરેક્ટર પણ છે. છેલ્લા 25 વર્ષથી તે સંજયના સુખ-દુઃખમાં સાથે જ છે. બિટ્ટુએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં કહ્યું, સંજુને કોઈ મોટી તકલીફ નહોતી. વાતાવરણ બદલતા તેને થોડી તકલીફ થઈ. મારી તેની સાથે વાત થઇ. તે એકદમ સ્વસ્થ છે. એકાદ દિવસમાં ડિસ્ચાર્જ પણ થઈ જશે. હોસ્પિટલમાં તે દાખલ થયો તો વિચાર્યું કે બાકીના ટેસ્ટ પણ કરાવી લઉં. આથી કોવિડ ટેસ્ટ કરાવ્યો અને તે નેગેટિવ આવ્યો.

સંજયે ટ્વિટર પર હેલ્થની અપડેટ આપી
સંજૂએ ટ્વિટર પર લખ્યું કે, હું તમને બધાને જણાવવા માગું છું કે હું એકદમ સ્વસ્થ છું. હાલ મેડિકલ દેખરેખ હેઠળ છું અને મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડોકટર્સ, નર્સ અને સ્ટાફની મદદથી હું એક કે બે દિવસમાં ઘરે આવી જઈશ. તમારા બધાની પ્રાર્થના અને આશીર્વાદ માટે આભાર.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjay Dutt Has No Serious Symptoms And That He Is Well In Lilavati Hospital


from Divya Bhaskar https://ift.tt/31FyL3Q
https://ift.tt/33Hagpx

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...