એકવાર ફરીથી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર અને બોલિવૂડ પર નિશાન તાક્યું છે. તેમણે રવિવારે કહ્યું કે, બોલિવૂડ માટે સુશાંત સિંહ રાજપૂતનું મૃત્યુ વોટરલૂ અને વોટરગેટ છે.
રવિવારે ટ્વીટ કરીને લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની હત્યા મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર સરકાર અને બોલિવૂડ માટે વોટરલૂ અને વોટરગેટ છે. તમારો સીટ બેલ્ટ બાંધી લેજો કારણ કે જ્યાં સુધી આરોપીને સજા નહિ મળે ત્યાં સુધી અમે મારા પ્રયત્નો મૂકી નહિ દઈએ.
Sushant Singh Rajput’s murder is Waterloo and Watergate for Bollywood, Mumbai Police and Maharashtra government. Fasten your seat belts as we are. about to take off and bombard & won’t give up till either guilty are brought to justice or justice is brought to the guilty.
— Subramanian Swamy (@Swamy39) August 16, 2020
આની પહેલાં પણ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના કેસમાં ઘણા પ્રશ્નો કર્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ફ્લેટ નીચે કેમ બે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી? કોણે બોલાવી હતી? જો મને સાચો જવાબ નથી મળી રહ્યો તો તમે વિચારી શકો છો કે સુશાંતનો વિશ્વાસુ નોકર ગાયબ છે. તે જીવતો છે કે મૃત ? શું બીજી એમ્બ્યુલન્સ તેના માટે હતી?
સુબ્રમણ્યમ સ્વામી સુશાંતના મૃત્યુ પછીથી CBI તપાસની માગ કરી રહ્યા છે. તેમણે આ માટે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. ગયા અઠવાડિયે તેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનારા 5 ડોક્ટરની ઝાટકણી કાઢી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Y4IRu3
https://ift.tt/34hQsJJ
No comments:
Post a Comment
If you have any doubts please let me know!