સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે CBI તપાસ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન રિલીઝ કરી દીધું છે. આજે CBI આ કેસમાં પોતાની તરફથી FIR કરીને તપાસ શરૂ કરી શકે છે. CBI ટીમ આજે બિહાર પોલીસ પાસેથી આ કેસને લગતી માહિતી મેળવી શકે છે. આ દરમિયાન મંગળવાર (4 ઓગસ્ટ)ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક PIL કરવામાં આવી છે. આ PILમાં સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતની પણ CBI તપાસ કરે.
EDએ મુંબઈ સ્થિત પોતાની ઓફિસમાં મની લોન્ડરિંગ કેસમાં સુશાંતના ઘરના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તીને પણ સમન પાઠવવામાં આવ્યું છે. રિયાની 9 ઓગસ્ટ, શુક્રવારના રોજ પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
બિહારના DGPએ BMCને આડેહાથ લીધી
આ દરમિયાન પટનાના SP વિનય તિવારીને ક્વૉરન્ટીન કરવા પર બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેયે ટ્વીટ કરીને BMCને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું, માનનીય સર્વોચ્ચ ન્યાયાલયે આ ગંભીર ટિપ્પણી કરી છે કે બિહાર IPS વિનય તિવારીને મુંબઈમાં જબરજસ્તી ક્વૉરન્ટીન કરવા ખોટું છે, તેમ છતાંય હજી સુધી BMCએ અત્યાર સુધી તેમને મુક્ત કર્યા નથી. તેઓ સુપ્રીમ કોર્ટને પણ ગણતા નથી. હવે તમે આ પર શું કહેશો? અફસોસ
माननीय सर्वोच्च न्यायालय द्वारा ये गम्भीर टिप्पणी की गयी हैकि बिहार के IPS विनय तिवारी को मुंबई में ज़बरदस्ती कोरंटिन किया जाना ग़लत है फिर भी BMC ने उन्हें अभी तक उन्हें मुक्त नहीं किया है.वे सुप्रीम कोर्ट की भी परवाह नहीं करते! अब इसको आप क्या कहेंगे??? अफ़सोस!
— IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 5, 2020
દિશા કેસમાં અરજીકર્તાએ આ ડિમાન્ડ કરી
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં બંને કેસ એકબીજા સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવ્યું છે. વકીલ વિનીત ઢાંડાએ અરજીમાં કહ્યું છે કે મુંબઈ પોલીસ દિશા સલિયન કેસમાં વિસ્તૃત તપાસ રિપોર્ટનો રેકોર્ડ આપવાની માગણી કરી છે. મીડિયા રિપોર્ટ્સના હવાલેથી કહેવામાં આવ્યું છે કે દિશા કેસની ફાઈલ ગાયબ છે અથવા તો ડિલીટ કરી દેવામાં આવી છે.
દિશાના પિતાએ કહ્યું, દીકરી કોઈ પણ પાર્ટીમાં સામેલ થઈ નહોતી
દિશા સલિયનના પિતાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ મૂક્યો છે કે તેમની દીકરી દિશાને બદનામ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. પોતાની ફરિયાદમાં તેમણે કહ્યું હતું કે દિશા કોઈ પણ પાર્ટીમાં સામેલ થઈ નહોતી અને તેની સાથે દુષ્કર્મ પણ થયું નથી.
સોશિયલ મીડિયામાં ચાલતી વાતોને કારણે ફરિયાદ કરવામાં આવી
દિશા સલિયનના પિતાએ ફરિયાદમાં કહ્યું છે કે કેટલાક લોકો તેમની દીકરી અંગે સોશિયલ મીડિયામાં ખોટી વાતો લખી રહ્યાં છે. તેમની દીકરી નેતાઓની સાથે કોઈ પાર્ટીમાં સામેલ થઈ નહોતી. ના તેની સાથે રેપ થયો હતો અને ના કોઈએ તેની હત્યા કરી છે. દિશાના પિતાએ કહ્યું હતું કે તેમને મુંબઈ પોલીસની તપાસમાં પૂરો વિશ્વાસ છે. દિશાના પિતાએ ફૅક ન્યૂઝ ફેલાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
દિશાના ફાઈનલ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે માથામાં ઈજા તથા અપ્રાકૃતિક ઈજાને કારણે દિશાનું મોત થયું છે. મોતનું મુખ્ય કારણ દિશા બિલ્ડિંગના 14મા માળેથી પડી તે છે.
ભાજપ નેતા નારાયણ રાણેએ સુશાંતના મૃત્યુને હત્યા ગણાવી
મહારાષ્ટ્ર ભાજપ નેતા નારાયણ રાણેએ આક્ષેપ મૂક્યો હતો કે સુશાંતની હત્યા થઇ છે. તેમણે કહ્યું હતું કે સુશાંતે આત્મહત્યા નથી કરી. તેની હત્યા થઇ છે. મહારાષ્ટ્ર સરકાર કેસ પર ધ્યાન આપી રહી નથી, કારણ કે તેઓ કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DBR6WX
https://ift.tt/31rHczh
No comments:
Post a Comment
If you have any doubts please let me know!