Friday, August 7, 2020

IPS વિનય તિવારીએ કહ્યું, સુશાંતના મૃત્યુનું કારણ જાણવાની સાથે એ પણ જાણવું આવશ્યક છે કે આખરે શું છુપાવવામાં આવી રહ્યું છે

સુશાંત આત્મહત્યા કેસની તપાસ માટેની બિહાર પોલીસની SITના લીડર SP સિટી પટના વિનય તિવારીનો ક્વોરન્ટીન પિરિયડ પૂરો કરી દેવાયો છે. તિવારીના જણાવ્યા અનુસાર, BMCએ આ જાણકારી મેસેજ કરીને આપી છે. હવે હું પટના પરત ફરીશ. મુંબઈ પહોંચેલ તિવારીને BMCએ 14 દિવસ માટે ક્વોરન્ટીન કરી દીધા હતા. વિનય તિવારી સાથે દિવ્ય ભાસ્કરે ફોન પર વાત કરી છે. તેમણે કહ્યું કે સુશાંતના મૃત્યુના કારણની સાથે એ જાણવું પણ જરૂરી છે કે આખરે એવું તો શું છે જેને છુપાવવામાં આવી રહ્યું છે. વાંચો, IPS વિનય તિવારીએ શું કહ્યું....

Q. જ્યારે તમને ખબર પડી કે સુશાંત કેસની તપાસ કરવાની છે ત્યારે શું તૈયારી કરીને મુંબઈ આવ્યા હતા?
A. અમારી ટીમ પહેલેથી જ મુંબઈ આવી ગઈ હતી અને લોકોની પૂછપરછ શરૂ કરી દીધી હતી. ઘણા પાસાઓ પર અમારી ટીમ કામ કરી રહી હતી. તેમને તપાસમાં મુંબઈ પોલીસનો સહયોગ મળ્યો ન હતો. આવી સ્થિતિમાં મારે આવવું પડ્યું અને ત્યારપછી જે થયું તે બધાની સામે છે. અમે ઘણી તૈયારી સાથે અહીં આવ્યા હતા.

Q. તમારા તપાસના લિસ્ટમાં કયા- કયા નામ સામેલ હતા?
A. ઘણા નામ હતા. સુશાંત કોની સાથે રહેતો હતો, કયા લોકો સાથે કામ કરતો હતો. કોની સાથે તેના સંબંધ છે. જે લોકો સાથે તેણે કામ શરૂ કર્યું હતું. આવા ઘણા લોકોના નામનું લિસ્ટ અમે બનાવ્યું હતું, જેના પર અમારી ટીમે કામ શરૂ કરી દીધું હતું.

વિનય તિવારી 2 ઓગસ્ટે બપોરે મુંબઈ પહોંચ્યા હતા. તે જ રાત્રે 11 વાગ્યે કોરોના ગાઇડલાઇન્સના નામે BMCએ તેમને બળજબરીથી ક્વોરન્ટીન કરી દીધા.

Q. તમને ક્વોરન્ટીન કરાયા તે બાબતે શું કહેશો?
A. હું ખુદને ક્વોરન્ટીન માની રહ્યો જ નથી. હું ઓન ડ્યૂટી છું અને મારું કામ કરી રહ્યો છું. ગેરકાયદેસર રીતે ક્વોરન્ટીન કરીને BMCએ તેની સાખ ઘટાડી છે. મારો કોરોના ટેસ્ટ કરાવીને તેઓ મને છોડી શકતા હતા, પરંતુ તેમણે આવું ન કર્યું. મહારાષ્ટ્ર સરકારના આ કાર્યથી લોકોના મનમાં સુશાંત કેસની તપાસને લઈને શંકા પેદા થઇ છે.

Q. હવે કેસની તપાસ CBIને સોંપી દેવામાં આવી છે, શું લાગે છે?
A. મારુ માનવું છે કે CBIની તપાસ પછી એવી વસ્તુઓ પણ બહાર આવશે જેને અત્યારે છુપાવવાના પ્રયત્ન થઇ રહ્યા છે. જોકે, અમારી ટીમ પણ બધા રહસ્યો પરથી પડદો હટાવી શકે એમ હતી. પરંતુ, અમને તપાસ કરતા અટકાવવા માટે મુંબઈ પોલીસ બનતા બધા પ્રયાસ કરવામાં વ્યસ્ત હતી.

Q. એવા પણ સવાલ ઊઠી રહ્યા છે કે બિહાર પોલીસ કેમ તપાસ કરી રહી છે?
A. સુશાંત કેસમાં મુંબઈ પોલીસે તેમને જે કરવાનું હતું તે ન કર્યું. સુશાંત પટનાનો હતો, માટે તેના પિતાએ ત્યાં ફરિયાદ દાખલ કરાવી. સુશાંતના પિતાને મુંબઈ પોલીસથી ન્યાય ન મળ્યો. તેમની આશા તૂટી રહી હતી માટે તેમણે પટનામાં FIR રજિસ્ટર કરાવી.

Q. અહીંયા ક્વોરન્ટીનમાં તમને સુવિધા સારી મળતી હતી કે નહીં?
A. હા, સુવિધા સારી મળી રહી છે. ઓફિસર હાલચાલ પૂછે છે. પરંતુ, હું અહીંયા રજા માણવા નથી આવ્યો. હું અહીંયા ડ્યૂટી નિભાવવા આવ્યો હતો, જે મુંબઈ પોલીસે કરવા ન દીધી. માટે જરા પણ સારું નથી લાગી રહ્યું.

Q. તમે કવિતાઓ પણ લખો છો, તો શું તમે આ ક્વોરન્ટીન પિરિયડમાં કઈ લખ્યું?
A. અત્યારે તો કઈ જ નથી લખ્યું પણ આ બધાને લઈને જે નારાજગી છે તેને કવિતાના માધ્યમે જરૂર બહાર લાવીશ. ટૂંક સમયમાં તમને મારી અન્ય કવિતાઓની જેમ આ આખા પ્રકરણની કવિતા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
IPS વિનય તિવારીનો આ ફોટો ફેસબુક પર તેમનો પ્રોફાઈલ પિક્ચર છે.


from Divya Bhaskar https://ift.tt/2DwdelZ
https://ift.tt/33BCBO0

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...