સંજય દત્તે મેડિકલ ટ્રીટમેન્ટને કારણે કામમાંથી થોડા સમય માટે બ્રેક લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ફેફસાંનું કેન્સર છે તેના માટે અમેરિકા જઈ રહ્યો છે. સંજુના બ્રેકની અસર તેની આગામી ફિલ્મો પર પડશે એ સ્વાભાવિક છે. તેની તબિયત સારી ન થાય ત્યાં સુધી આ ફિલ્મો અટકી પણ શકે છે. તેમાંની અમુક ફિલ્મો ઓલમોસ્ટ પૂરી પણ થઇ ચૂકી છે.
તેની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તેમાં સડક 2 શુક્રવારે 28 ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મ તેની 1991ની ફિલ્મ સડકની સિક્વલ છે અને આ ફિલ્મમાં પણ તે રવિના રોલમાં જ છે. ફિલ્મમાં તેના સિવાય આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર પણ છે. આ ફિલ્મથી મહેશ ભટ્ટ 21 વર્ષ પછી ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યા છે.
ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા
દેશભક્તિ પર આધારિત આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં સંજય દત્ત સિવાય અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા પણ સામેલ છે. 2012માં આવેલ ફિલ્મ સન ઓફ સરદાર પછી આ ત્રણની જોડી ફરીવાર આ ફિલ્મમાં સાથે દેખાશે. આ ફિલ્મ પણ ડિઝની પ્લસ હોટસ્ટાર પણ સ્ટ્રીમ થવાની છે જોકે હજુ તેની રિલીઝ ડેટ જાહેર થઇ નથી.
તોરબાઝ
સંજય દત્તની અન્ય એક ફિલ્મ જે ઓનલાઇન રિલીઝ થવાની છે તે છે તોરબાઝ. નેટફ્લિક્સ દ્વારા કુલ 17 પ્રોજેક્ટ્સનું લિસ્ટ જાહેર કરાયું હતું જે રિલીઝ થવાના છે, તેમાં આ ફિલ્મ પણ સામેલ છે. આ ફિલ્મ એવા વ્યક્તિ પર આધારિત છે જે શરણાર્થી બાળકોના ગ્રુપને લીડ કરે છે અને ક્રિકેટના માધ્યમથી તેમના જીવનમાં પરિવર્તન લાવે છે. આ ફિલ્મમાં તેની સાથે નરગીસ ફખરી અને રાહુલ બોસ પણ છે.
View this post on InstagramA post shared by Sanjay Dutt (@duttsanjay) on Jul 15, 2020 at 9:30pm PDT
KGF- ચેપ્ટર 2
આ ફિલ્મ 2018માં આવેલ યશ સ્ટારર સુપરહિટ કન્નડ ફિલ્મ KGFની સિક્વલ છે. પાંચ ભાષઓમાં રિલીઝ થનાર આ ફિલ્મમાં સંજય દત્ત વિલન અધીરાના રોલમાં છે. ફિલ્મમેકર્સે હાલમાં જ જણાવ્યું હતું કે આ ફિલ્મનું હવે 24 દિવસનું શૂટિંગ શેડ્યુઅલ બાકી છે. જોકે આ બાબતે ચોખવટ નથી થઇ કે સંજયે તેના ભાગનું શૂટિંગ પૂરું કર્યું છે કે નહીં.
શમશેરા
રણબીર કપૂર અને વાણી કપૂર સ્ટારર આ ફિલ્મમાં સંજય દત્ત પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં સંજયનું માત્ર છેલ્લા શેડ્યુઅલનું જ કામ બાકી હતું. તેના માટે બે-ત્રણ દિવસનું જ શૂટિંગ કરવાનું હતું અને તે પણ આ જ અઠવાડિયામાં શરૂ થવાનું હતું પરંતુ તેની તબિયત લથડતા હવે આ શૂટિંગ નહીં થઇ શકે. યશરાજ બેનર હેઠળ બનનાર આ ફિલ્મના ડિરેક્ટર અગ્નિપથ અને બ્રધર્સ જેવી ફિલ્મ ડિરેક્ટ કરનાર કરણ મલ્હોત્રા છે.
પૃથ્વીરાજ
અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર આ ફિલ્મમાં સંજય દત્ત પણ સામલે છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીના ડિરેક્શનમાં બનનાર આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે માર્ચ મહિનામાં શરૂ થવાનું હતું પરંતુ મહામારીને કારણે અટકી ગયું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30PIIwo
https://ift.tt/3gQK0g2
No comments:
Post a Comment
If you have any doubts please let me know!