નેપોટિઝ્મ વિવાદમાં કંગના રનૌત તથા પૂજા ભટ્ટ વચ્ચેની દલીલોનો અંત આવે તેમ લાગતું નથી. સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદથી બોલિવૂડના બિગ ફિલ્મમેકર્સ પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે, જેમાં મહેશ ભટ્ટ તથા મુકેશ ભટ્ટનું પણ નામ છે. કંગના રનૌતે પણ કહ્યું હતું કે નેપોટિઝ્મને કારણે સુશાંતે આત્મહત્યા કરી હતી. આટલું જ નહીં કંગના અવાર-નવાર ભટ્ટ કેમ્પ પર આરોપો મૂકતી હોય છે.
હવે, કંગનાને જવાબ આપવા પૂજા ભટ્ટે સોશિયલ મીડિયામાં ટ્વીટ કરી હતી. પૂજાએ ટ્વીટ કરીને કંગનાને એ વાત યાદ અપાવી હતી કે તેને મહેશ ભટ્ટે જ બ્રેક આપ્યો હતો. તેણે એક અવોર્ડ ફંક્શનની વીડિયો ક્લિપ શૅર કરી હતી. આ ક્લીપમાં કંગનાને ફિલ્મ ‘ગેંગસ્ટર’ માટે ડેબ્યૂ અવોર્ડ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ વિશેષ ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી હતી. વીડિયો શૅર કરીને પૂજાએ ટ્વીટ કરી હતી, ‘કદાચ વીડિયો પણ ખોટો હશે. આ ઉપરાંત બે વચ્ચે લડાઈ હોય છે. હું ઈનકાર તથા આક્ષેપોને વધુ વિકસિત આત્માઓ પર છોડી દઉં છું. બસ મેં તથ્યોને સામે મૂક્યા છે.’
કંગનાએ તરત જવાબ આપ્યો
પૂજા ભટ્ટની ટ્વીટ પર કંગનાની ટીમે તરત જ જવાબ આપ્યો હતો. ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું, ‘પૂજાજી, કંગના તમારી આભારી છે કે વિશેષ ફિલ્મ્સે તેને લોન્ચ કરી. જોકે, તે ઈચ્છે છે કે આઉટસાઈડર્સની સાથે પણ સારો વ્યવહાર કરવામાં આવે. તે એ વાતે પણ આભારી છે કે તેના એક્સે તેનાથી બ્રેકઅપ કરી લીધું. જોકે, તે ઈચ્છે છે કે આ સન્માનપૂર્વક કરવામાં આવે. પુરુષોથી ચાલતી આ દુનિયામાં તે પોતાની સફળતાને નસીબ માને છે. અલબત્ત તે ઈચ્છે છે કે આ પિતૃસત્તાનો અંત આવવો જોઈએ.’
બંને એક્ટ્રેસ વચ્ચે ક્યારે દલીલો શરૂ થઈ?
બંને એક્ટ્રેસ વચ્ચેની દલીલો બુધવાર (8 જુલાઈ)ના રોજ શરૂ થઈ હતી. પૂજાએ નેપોટિઝ્મને લઈ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું, ‘એક સમય હતો કે ભટ્ટ કેમ્પ સ્ટાર્સ સાથે કામ કરતું નહોતું અને તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તે માત્ર નવા કલાકારો સાથે કામ કરે છે. આ એ જ લોકો નેપોટિઝ્મની વાત કરી રહ્યાં છે? ગૂગલ કરો અને પછી ટ્વીટ કરો. આવું વિચારો પણ નહીં અને બોલો પણ નહીં.’
પૂજાએ એક ટ્વીટમાં કંગના રનૌતના નામનો ઉલ્લેખ કરીને કહ્યું હતું, ‘કંગના રનૌત ટેલેન્ટેડ છે. વિશેષ ફિલ્મ્સે ‘ગેંગસ્ટર’થી કંગનાને લોન્ચ કરી હતી. અનુરાગ બાસુએ તેનામાં ટેલેન્ટ જોઈ હતી પરંતુ વિશેષ ફિલ્મ્સે તેની ફિલ્મમાં નાણા રોક્યા હતાં. આ નાની વાત નથી. તે તેના પ્રયાસોમાં સફળ રહે તેવી શુભેચ્છા.’
કંગનાએ કહ્યું હતું, તો ચંપલ ફેંકવાનો અધિકાર નથી મળી જતો
પૂજાની આ ટ્વીટ પર કંગનાની ટીમે જવાબ આપ્યો હતો અને ટ્વીટ કરતાં કહ્યું હતું, ‘પ્રિય પૂજા ભટ્ટ, અનુરાગ બાસુ એક્ટ્રેસ કંગનાની પ્રતિભા જોવા માટે ઉત્સુક હતાં. દરેકને ખબર છે કે મુકેશ ભટ્ટ કલાકારોને ફી આપવી પસંદ કરતા નથી. અનેક સ્ટૂડિયો ટેલેન્ટેડ કલાકારો પાસે મફતમાં કામ કરાવવા ઉત્સુક હોય છે. જોકે, તમારા પિતાને તેની પર ચંપલ ફેંકવાનો અધિકાર મળી જતો નથી. તેને પાગલ કહેવી અને તેનું અપમાન કરવાનું લાઈસન્સ મળતું નથી. તેમણે તો તેના ટ્રેજિક એન્ડની જાહેરાત પણ કરી દીધી હતી.’
‘એક વાત કે સુશાંત સિંહ રાજપૂત તથા રિયા ચક્રવર્તીના રિલેશનશિપમાં તે કેમ આટલો રસ લે છે? તેમણે કેમ તેના અંતની જાહેરાત કરી હતી? તમારે આવા કેટલાંક સવાલ તમારા પિતાને પૂછવાની જરૂર છે.’ ઉલ્લેખનીય છે કે કેટલાંક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહેશ ભટ્ટે રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ કરવાની વાત કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZUSH1t
https://ift.tt/3efnQSs
No comments:
Post a Comment
If you have any doubts please let me know!