Thursday, July 9, 2020

કૃષ્ણા અભિષેકે નવા શોનું શૂટિંગ શરૂ કર્યું, સેટની હાલત જણાવી, દર દસ મિનિટે હાથ સેનિટાઇઝ કરે છે

કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ અને ચંદન એક નવા શોનું શૂટિંગ કરી રહ્યા છે. ટીવી શો ફનહિત મેં જારીનો એક ફોટો કૃષ્ણાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેની સાથે તેણે જણાવ્યું કે સેટ પણ તેઓ ન્યૂ નોર્મલને કઈ રીતે ફોલો કરી રહ્યા છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં 13 જુલાઈએ ઘણા શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત થઇ છે. આવામાં ટીવી એક્ટર્સ પણ શોના સેટ પર રિલીઝ કરેલ ગાઇડલાઇન્સને ફોલો કરી રહ્યા છે.

કૃષ્ણાએ તેની પોસ્ટમાં લખ્યું કે, ઘણા સમય પછી શૂટિંગ કરી રહ્યો છું. દર 10 મિનિટ પછી હાથ સેનિટાઇઝ કરી રહ્યો છું. બીજા વ્યક્તિથી અંતર રાખી રહ્યા છીએ. કપડાં દરેક લંચ અને ડિનર બ્રેક પછી ધોવામાં આવે છે. સ્ટાફે કવર કિટ પહેરી છે અને અમારી આસપાસ નથી. આ છે અમારો નવો શો ફનહિત મેં જારી.

ચાર શોના સેટ પર કોરોના કેસની એન્ટ્રી
ટીવી ઇન્ડસ્ટ્રીમાં 19 માર્ચથી બંધ થયેલ કામ શરૂ થયાને હજુ બે અઠવાડિયા જ થયા છે, પરંતુ કોરોનાનું જોખમ સેટ પર પહોંચી ગયું છે. અત્યારસુધી મેરે સાઈ, સહ પરિવાર સહ કુટુંબ, એક મહાનાયક ડો. બીઆર આંબેડકર અને ભાભીજી ઘર પર હૈના સેટ પર કોરોના પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. ત્યારબાદ શોનું શૂટિંગ ત્રણ દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું હતું. સેટને સેનિટાઇઝ કર્યા બાદ અને અન્ય લોકોની તપાસ બાદ જ ફરીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Krushna Abhishek starts shooting for new show with New Normal said we sanitizing Hands every ten minutes


from Divya Bhaskar https://ift.tt/2AGNOk3
https://ift.tt/2ZP3dHO

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...