મહારાષ્ટ્ર સરકાર તરફથી પરમિશન મળી ગયા બાદ મોટા ભાગના કલાકારોએ શૂટિંગ શરુ કરી દીધું છે. આ દરમિયાન ‘શુભારંભ’ શોની એક્ટ્રેસ મહિમા મકવાણા પણ શૂટિંગ પર પરત આવી છે. હાલમાં જ તેને છાતીમાં દુખાવો થયો તેમ છતાં તેણે કામ ચાલુ રાખ્યું. આ વાત જ્યારે તેની આજુબાજુના લોકોને ખબર પડી તો તે બધાએ તેને કોરોના પોઝિટિવ સમજીને દૂર જતા રહ્યા. આ બાબતે એક્ટ્રેસને દુઃખ થયું છે, મહિમાનું માનવું છે કે, કોરોના કાળે લોકોને એકસાથે કરવાને બદલે અલગ કરી દીધા છે.
મહિમાએ શુક્રવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને લખ્યું કે, શું કોરોનાએ આપણને એકબીજાથી દૂર કરી દીધા છે ? શું કોરોનાએ માનવતા છીનવી લીધી છે? આજે સવારે મને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. તેની અવગણના કરીને હું કામ માટે નીકળી ગઈ. આ દુખાવો અચાનક વધી ગયો જેથી હું ડરી ગઈ.
મને આશ્ચર્ય થયું જ્યારે લોકોએ માની લીધું કે હું સંક્રમિત છું. તે બધાનો નજરીયો બદલાઈ ગયો અને મારાથી અંતર રાખી લીધું. આવા સમયે આપણે માનવતા અને દયાળુ ભાવની વધારે જરૂર હોય છે. જે લોકો તમારા ખરાબ સમયમાં સાથે છે તે બધાની સાથે હંમેશાં રહો તેમને મહત્ત્વ અને પ્રેમ આપો. આવા એક્શન શબ્દો કરતાં વધારે સંભળાય છે.
મહિમાએ પોસ્ટમાં આગળ કહ્યું કે, હાલ હું મારા ઘર પર છું અને આરામ કરી રહી છું. મને મારા રિપોર્ટની રાહ છે. એક્ટ્રેસ હાલ શુભારંભ શોમાં દેખાઈ રહી છે. શોનું શૂટિંગ જૂન મહિનામાં શરુ થઈ ગયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3enw1w6
https://ift.tt/3iTO68E
No comments:
Post a Comment
If you have any doubts please let me know!