શનિવાર (11 જુલાઈ)એ અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી. પછી ઐશ્વર્યા રાય તથા આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સ પરિવાર જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. વિવેક ઓબેરોયે પણ બચ્ચન પરિવારના સ્વાસ્થ્યને લઈ ટ્વીટ કરી હતી.
વિવેકે શું ટ્વીટ કરી?
વિવેક ઓબેરોયે ટ્વિટર પર આરાધ્યા તથા ઐશ્વર્યા રાય કોરોના પોઝિટિવ હોવાના સમાચારની લિંક શૅર કરીને કહ્યું હતું, ‘હું પ્રાર્થના કરું છું કે પરિવાર જલ્દીથી ઠીક થઈ જાય.’
Our prayers for the well being and quick recovery of the family🙏 https://t.co/23BEckqTLa
— Vivek Anand Oberoi (@vivekoberoi) July 12, 2020
બિગ બી-અભિષેક માટે પણ ટ્વીટ કરી હતી
આ પહેલાં વિવેકે અમિતાભ તથા અભિષેક બચ્ચનને લઈ ટ્વીટ કરી હતી. તેણે કહ્યું હતું, ‘બચ્ચનસર તથા અભિષેક જલ્દી ઠીક થઈ જાય તેવી કામના કરું છું. અમે બધા તમારા માટે પ્રાર્થના કરી રહ્યાં છીએ. તમે જલ્દીથી ઠીક થઈ જાઓ. ધ્યાન રાખો.’
Wishing @SrBachchan sir & @juniorbachchan a speedy recovery🙏
— Vivek Anand Oberoi (@vivekoberoi) July 11, 2020
We’re all praying for you! Get well super soon! Take care 🙏
વિવેકે ઐશ્વર્યાનું મીમ શૅર કરીને વિવાદમાં ફસાયો હતો
મે, 2019માં વિવેકે ઐશ્વર્યાને લઈ એક મીમ શૅર કર્યું હતું. આ મીમને કારણે વિવેક વિવાદમાં ફસાયો હતો. આ મીમમાં ઐશ્વર્યા રાયને ત્રણ અલગ-અલગ લોકો સાથે બતાવવામાં આવી હતી. સૌથી પહેલાં ઐશ્વર્યા એક્ટર સલમાન સાથે જોવા મળી હતી, જેને ઓપનિંગ પોલનું ટાઈટલ આપવામાં આવ્યું હતું.
વચ્ચેની તસવીરમાં વિવેક તથા ઐશ્વર્યા જોવા મળે છે. આ તસવીર પર એક્ઝિટ પોલ લખવામાં આવ્યું હતું. ત્રીજી અને અંતિમ તસવીરમાં ઐશ્વર્યા પતિ તથા દીકરી સાથે જોવા મળે છે. આ તસવીરને રિઝલ્ટ એવું નામ આપવામાં આવ્યું છે.
એક ટ્વિટર યુઝરની તસવીર શૅર કરીને વિવેકે કહ્યું હતું કે આ તસવીર ક્રિએટિવ લાગી અને તેથી જ તેણે શૅર કરી હતી. આમાં કોઈ રાજકારણ નથી. જોકે, વિવાદમાં આવ્યા બાદ વિવેકે બચ્ચન પરિવારની માફી માગી હતી.
વિવેક તથા ઐશ્વર્યા વચ્ચે સંબંધો હતાં
સલમાન ખાન સાથેના બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાયના સંબંધો વિવેક સાથે હતાં. બંનેએ ફિલ્મ ‘ક્યો હો ગયા ન’માં સાથે કામ કર્યું હતું. સલમાનને જ્યારે વિવેક-ઐશ્વર્યાના સંબંધો અંગે જાણ થઈ તો એક્ટરે વિવેકને ફોન પર ધમકાવ્યો હતો અને ગાળો આપી હતી. આટલું જ નહીં સલમાને વિવેકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જ કારણે વિવેક ઓબેરોયે પત્રકાર પરિષદ પણ યોજી હતી અને સલમાનની હરકત અંગે વાત કરી હતી. જોકે, આ વાતથી ઐશ્વર્યા રાય નારાજ થઈ હતી અને તેણે વિવેક સાથેના સંબંધો તોડી નાખ્યા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3298oFf
https://ift.tt/3elJHrr
No comments:
Post a Comment
If you have any doubts please let me know!