Wednesday, July 1, 2020

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ફૅમ મોહેના સિંહનો એક મહિના બાદ કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ એક્ટ્રેસ મોહેના કુમારીનો એક મહિના બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મોહેનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ માહિતી આપી હતી.

એક મહિના સુધી બીમાર રહી
મોહેનાએ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં મોહેનાએ કહ્યું હતું, અંતે એક મહિના બાદ અમે લોકો કોરોના નેગેટિવ આવ્યાં. અમે તમામ AIIMS ઋષિકેશના તમામ ડોક્ટર્સ તથા હેલ્થ પ્રોફેશનલ્સનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આપણે દેશના ડોક્ટર્સ તથા હેલ્થ પ્રોફેશનલ્સના કામને સેલિબ્રેટ કરી રહ્યાં છીએ.

View this post on Instagram

We finally tested Negative of coronavirus... after a month! We’d like to thank all the Doctors and Health care professionals for doing the best they could with whatever information was available to the world about this virus, at AIIMS RISHIKESH. Today we celebrate the work of Doctors and Healthcare professionals in our country. In my life I have met some wonderful doctors, nurses , compounders and other medical staff... I’d like to thank all of them for their Honest Efforts to help people to ease or eradicate their pain. I really hope and pray that all doctors are doing the same for people of all ages , strata and religion. People put immense faith in doctors and we always hope for doctors to reciprocate that with selfless care and humanity. I’d like to wish all the selfless , honest , diligent and hardworking doctors a very Happy National Doctors Day. We thank you for your service. #doctorsday2020

A post shared by Mohena Kumari Singh (@mohenakumari) on Jul 1, 2020 at 12:09am PDT

મોહેનાએ આગળ કહ્યું હતું, ‘હું મારા જીવનમાં કેટલાંક સારા ડોક્ટર, નર્સ તથઆ મેડિકલ સ્ટાફને મળી છું. આ લોકોની પીડાને ઓછી કરવા માટે પૂરતો પ્રયાસ કરે છે અને તેમના આ પ્રયાસો માટે હું આભારી છું. હું આશા તથા પ્રાર્થના કરું છું કે તમામ ડોક્ટર્સ દરેક ગ્રુપને તથા ધર્મના લોકોને આમ જ મદદ કરતા રહે. લોકોને ડોક્ટર્સમાં બહુ વિશ્વાસ હોય છે. આપણે હંમેશાં ડોક્ટર્સ પાસેથી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે તે લોકોની નિઃસ્વાર્થભાવે સેવા કરે અને કાળજી રાખે. હું તમામ નિઃસ્વાર્થ, પ્રામાણિક, મહેનતુ ડોક્ટર્સને નેશનલ ડોક્ર્સ ડેની શુભેચ્છા પાઠવું છું. અમે તમારી સેવા માટે આભારી છીએ. ’

સૌ પહેલાં સાસુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
મોહેનાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઘરમાં સૌ પહેલાં સાસુની તબિયત ખરાબ થઈ હતી. ત્યારે ઘરમાં બધાને એમ જ હતું કે આ નોર્મલ ફ્લૂ હશે. તેમનો ટેસ્ટ કરાવવામાં આવ્યો અને તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ઘરના તમામ સભ્યોનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. તેમણે ઘરની બહાર વાઈરસનો ચેપ પ્રસરવા દીધો નથી. ઉલ્લેખનીય છે કે મોહેનાના સસરા સતપાલ મહારાજ (ઉત્તરાખંડમાં ટૂરિઝમ મિનિસ્ટર છે)ને પણ કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. તેના પતિ સૂયશ રાવત તથા સાસુ અમૃતા રાવતનો રિપોર્ટ પણ પોઝિટિવ હતાં. આ બધા જ ઋષિકેશની હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

2012માં ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું
મોહેનાએ વર્ષ 2012મા ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’માં ભાગ લીધો હતો. મોહિના ટ્રેઈન્ડ ડાન્સર છે અને તે કોરિયોગ્રાફર પણ છે. રિયાલિટી શોમાં કામ કર્યાં બાદ મોહેનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ સિરિયલમાં કીર્તિની ભૂમિકા ભજવી હતી. લગ્ન પછી મોહેનાએ એક્ટિંગ ફિલ્ડને અલવિદા કહી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના રેવાની રાજકુમારી મોહેના કુમારી સિંહના લગ્ન ગયા વર્ષે 14 ઓક્ટોબરે હરિદ્વારમાં યોજાયા હતાં. મોહેનાએ ઉત્તરાખંડના પર્યટન મંત્રી તથા આધ્યાત્મિક ગુરુ સતપાલ મહારાજના નાના દીકરા સૂયશ રાવત સાથે લગ્ન કર્યા છે. મોહેના રેવાના મહારાજા પુષ્પરાજ સિંહ જુદેવની દીકરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A month after 'Yeh Rishta Kya Kehlata Hai' fame Mohena Singh's report of covid 19 is negative


from Divya Bhaskar https://ift.tt/2ZjvyW8
https://ift.tt/3g9ANyy

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...