Tuesday, July 7, 2020

ટીવી શો મહાનાયક ડો.બીઆર આંબેડકરના સેટ પર જગન્નાથ નિવાંગુને કોરોના થયો, 3 દિવસ માટે શૂટિંગ અટક્યું

ટીવી ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ શરૂ થયાના માત્ર બે અઠવાડિયા થયા છે પરંતુ શૂટિંગ પર કોરોનાનું જોખમ વધી રહ્યું છે. મહાનાયક ડો.બીઆર આંબેડકરના સેટ પર એક્ટર જગન્નાથ નિવાંગુને કોરોના થયો છે. એક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શૂટિંગ 3 દિવસ માટે અટકાવી દેવામાં આવ્યું છે.

ત્રીજો શો જ્યાં કોરોના પહોંચ્યો
આ ત્રીજો શો છે જેના સેટ પર કોરોનાની એન્ટ્રી થવાથી શૂટિંગ અટકાવું પડ્યું. આ પહેલાં મેરે સાઈ, સહ કુટુંબ સહ પરિવાર અને ઝી ક્રિએટિવ ટીમના એક સભ્યને કોરોના હોવાની વાત સામે આવી હતી. મેરે સાઈના સેટ પર 3 દિવસ સેનિટાઇઝેશન બાદ આજથી શૂટિંગ શરૂ થશે.

જગન્નાથ સાવધાની રાખી રહ્યા હતા
જગન્નાથ શોમાં ડો. ભીમરાવના પિતાના રોલમાં છે. તેઓ સેટ પર જરૂરી તમામ સાવધાની રાખી રહ્યા હતા અને તેના ફોટોઝ તેમણે ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યા હતા. પ્રોડક્શન હાઉસે જગન્નાથના સંપર્કમાં આવેલ તમામ લોકોને ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી તમામ લોકોને સમયસર મેડિકલ ટ્રીટમેન્ટ આપી શકાય.

19 માર્ચથી જૂન સુધી બંધ રહેલ ટીવી ઇન્ડસ્ટ્રીએ 13 જુલાઈથી ઘણા શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ કરવાની જાહેરાત કરી છે. પરંતુ આ રીતે કોરોના સંક્રમણના સતત સમાચાર આવ્યા બાદ શૂટિંગ જોખમમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jagannath Nivangune found corornavirus positive on set of TV show Mahanayak Dr. BR Ambedkar shooting halted for 3 days


from Divya Bhaskar https://ift.tt/31UcfFY
https://ift.tt/2Z7R0i9

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...