Saturday, July 25, 2020

સંજના સાંઘીએ કંગનાને જવાબ આપ્યો, કહ્યું- કોઈને પણ એ વાત નક્કી કરવાનો અધિકાર નથી કે શું મોડેથી થયું અને શું ના થયું

સંજના સાંઘીએ હવે કંગના રનૌતને જવાબ આપ્યો હતો. થોડાં સમય પહેલાં જ કંગનાની ટીમે ટ્વિટર પર 2018માં સુશાંત સિંહ રાજપૂત પર MeToo હેઠળ આક્ષેપો મૂકવામાં આવ્યા ત્યારે એક્ટ્રેસે બહુ મોડે મોડે આ અંગે સ્પષ્ટતા આપી હોવાનું કહીને ખરું-ખોટું સંભળાવ્યું હતું. કંગનાની વાતો પર હવે સંજનાએ પ્રતિક્રિયા આપી છે.

સંજનાએ કંગનાની ઝાટકાણી કાઢી
ઝૂમ ટીવી સાથેની વાતચીતમાં સંજનાએ કહ્યું હતું, કોઈને પણ એ વાત નક્કી કરવાનો અધિકાર નથી કે મોડેથી શું થયું અને શું ના થયું. મેં જે બન્યું હતું, તેના વિશે હું બહુ જ બોલી ચૂકી હતી. આ સાથે જ મેં જે સ્પષ્ટતા આપી હતી, તે પૂરતી હતી. તે સમયે તેમાં કંઈ જ મોડું થયું નહોતું. અફવાઓ ફેલાવવી જોઈએ નહીં. અમારી જવાબદારી નથી કે અમે અફવાઓ પર સ્પષ્ટતા આપીએ.

સંજનાએ આગળ કહ્યું હતુ કે તે ઘટનાને MeToo હેઠળ આવરી લેવામાં આવે તે યોગ્ય નથી, કારણ કે મેં તથા સુશાંતે ખુલાસો કર્યો હતો કે કોઈનું પણ હેરેસમેન્ટ થયું નહોતું. આથી જ આ બાબતને MeToo હેઠળ કહીને MeTooની મહત્ત્વતા ઓછી કરવી જોઈએ નહીં. બે લોકોએ સ્પષ્ટતા આપી હતી કે આવું કંઈ જ બન્યું નહોતું તો કેમ આને MeToo હેઠળ લેવામાં આવે. આ ખોટું રિપોર્ટિંગ છે. મેં પણ દિલ્હી યુનિવર્સિટીમાંથી જર્નલિઝમનો અભ્યાસ કર્યો છે. હું આવું જર્નલિઝમ ક્યારેય ભણી નથી.

કંગનાએ શું કહ્યું હતું?
કંગનાએ ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર સુશાંત તથા સંજના પર લખવામાં આવેલા જૂના આર્ટિકલની લિંક શૅર કરી હતી. આ આર્ટિકલમાં લખવામાં આવ્યું હતું કે સંજનાને સુશાંતનું એક્સ્ટ્રા ફ્રેન્ડલી વર્તન બિલકુલ પસંદ નહોતું અને તેણે શૂટિંગ અધવચ્ચે અટકાવી દીધું હતું. આ આર્ટિકલ શૅર કરીને કંગનાએ કહ્યું હતું, અનેક સમાચારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતે સંજના પર દુષ્કર્મ કર્યું હતું. તે સમયે આ પ્રકારના સમાચારો સામાન્ય થઈ ગયા હતા અને ત્યારે સંજના કેમ કંઈ બોલી નહોતી. સુશાંત જ્યારે જીવતો હતો ત્યારે તેણે પોતાની મિત્રતાનાં કેમ એક પણ કિસ્સા કહ્યાં નહીં. મુંબઈ પોલીસ તપાસ કરે.

સુશાંત પર MeToo મૂવમેન્ટ હેઠળ આક્ષેપ મૂકવામાં આવ્યો હતો
2018માં જ્યારે બોલિવૂડમાં MeTooની શરૂઆત થઈ ત્યારે સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ આવ્યું હતું. અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સુશાંતે પોતાની ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-સ્ટાર સંજના સાંઘી સાથે ગેરવર્તન અને સેકસ્યુલ હેરેસમેન્ટ કર્યું હતું.

સંજનાએ સ્પષ્ટતા આપી હતી
2018માં સોશિયલ મીડિયામાં સંજનાએ ખુલાસો કરતાં કહ્યું હતું, હું આ વાત સ્પષ્ટ કરવા માગીશ કે ‘દિલ બેચારા’ના સેટ પર મારી સાથે કોઈ ગેરવર્તણૂક અને સેકસ્યુલ હેરેસમેન્ટ જેવી ઘટના બની નહોતી. આ તમામ પાયાવિહોણા સમાચાર પર હવે પૂર્ણવિરામ મૂકો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sanjana Sanghi replied to Kangana, saying- No one has the right to decide whether it happened late or not.


from Divya Bhaskar https://ift.tt/32SoLWR
https://ift.tt/3fYH2FX

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...