બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જલ્દી સાજા થઈ જાય તે માટે ભોપાલમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. રાજધાનીના ટીટી નગર વિસ્તારમાં આવેલા નવ દુર્ગા મંદિરમાં બચ્ચનના સ્વાસ્થ્ય માટે રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. મંદિરના સંચાલક ચંદ્રશેખર તિવારીએ જણાવ્યું કે, અમિતાભ દેશનું ગૌરવ છે. તેઓ દરેકના દિલમાં રહે છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ જલ્દી સાજા થઈ જાય તે માટે અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ. તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચ્ચને થોડા દિવસ પહેલા આ હોસ્પિટલના મેડિકલ સ્ટાફની પ્રશંસા કરતો એક વીડિયો શેર કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38PHT95
https://ift.tt/2Cmpu7D
No comments:
Post a Comment
If you have any doubts please let me know!