Wednesday, July 15, 2020

CBI તપાસ માટે સુબ્રમણ્યમ સ્વામીએ PM મોદીને પત્ર લખ્યો, બોલિવૂડનાં મોટાં માથાંનું દુબઈના ડોન સાથે કનેક્શન હોવાનો દાવો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને એક મહિના કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે.મુંબઈ પોલીસ હજુ સુધી આ કેસમાં કોઈ ખાસ માહિતી મેળવી શકી નથી. આ કેસને CBIને સોંપવાની અપીલ વધુ ને વધુ વેગ પકડી રહી છે. હવે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને લેટર લખીને આ કેસ CBIને સોંપવા માટે વિનંતી કરી છે.

આ લેટરનો ફોટો શેર કરી એક્ટર શેખર સુમને ટ્વિટર પર લખ્યું કે, ફાઈનલી આપણા બધા માટે થોડી ખુશીનું આ કારણ હોઈ શકે છે. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ લખેલ આ બે પેજના લેટરમાં ઘણા બધા દાવા કરવામાં આવ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, મને ખાતરી છે કે તમે ફિલ્મ એક્ટર સુશાંત સિંહના મૃત્યુથી માહિતગાર હશો. મારા વકીલ ઇશકરણ ભંડારીએ આ આત્મહત્યાના કેસમાં રિસર્ચ કર્યું છે. FIR ફાઈલ કરાવ્યા બાદ પોલીસ હજુ તપાસ કરી રહી છે.

બોલિવૂડનાં મોટાં માથાં કેસને કવર અપ કરવા પ્રયત્ન કરી રહ્યા છે
લેટરમાં સ્વામીએ દાવો કર્યો કે, મને મારા મુંબઈના સોર્સ પાસેથી જાણવા મળ્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં મોટાં માથાં જેનું કનેક્શન દુબઈમાં ડોન સાથે છે તેઓ આ કેસને કવર અપ કરીને એ સુનિશ્ચિત કરવા માગે છે કે રાજપૂતનું મૃત્યુ વોલન્ટરી સુસાઇડ હોય એવું અંતે સાબિત થાય. હું ભારત સરકારના વડાને અરજી કરું છું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને ડિરેક્ટલી CBI તપાસ માટે સલાહ આપે અથવા ગવર્નરને CBI તપાસ માટે સંમત કરે. હાલ મુંબઈ પોલીસ પહેલેથી જ કોરોના મહામારીની વ્યવસ્થામાં વ્યસ્ત છે માટે આ કેસ CBIને સોંપવામાં આવશે તો તેમનો ભાર હળવો થશે અને આ જ એકમાત્ર રસ્તો છે લોકોને ભરોસામાં લેવાનો.

અમિત શાહનો જવાબ
બિહારના જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવની અરજીનો ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો છે. તેમાં લખ્યું હતું કે, તમારો પત્ર મળ્યો જેમાં તમે યંગ એક્ટર સ્વ. સુશાંત સિંહની આત્મહત્યા કેસમાં CBI તપાસ માટેનો આગ્રહ કર્યો હતો. તમારા લેટરને ધ્યાનમાં રાખીને સબંધિત ડિપાર્ટમેન્ટને આ માટે જાણ કરવામાં આવી રહી છે.

શેખર સુમને આ લેટર શેર કરી લખ્યું કે, એવું લાગી રહ્યું છે કે ફાઈનલી આપણા પ્રયત્નોનું ફળ મળી રહ્યું છે, પણ દિલ્હી હજુ દૂર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Subramanian Swamy writes letter to Narendra Modi asking for a CBI enquiry


from Divya Bhaskar https://ift.tt/2CCaN0t
https://ift.tt/2Zs8nue

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...