ટીવી સિરિયલ કસૌટી ઝીંદગી કેના લીડ એક્ટર પાર્થ સમથાન કોરોના મુક્ત થઇ ગયો છે. રિપોર્ટ મુજબ તેનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તે શૂટિંગ ફરી ક્યારે શરૂ કરશે તે હજુ નક્કી નથી. અનુરાગ બાસુનો રોલ પ્લે કરનાર પાર્થને કોરોનાના સામાન્ય લક્ષણ હતા ત્યારબાદ તે જાતે ઘરમાં ક્વોરન્ટીન થઇ ગયો હતો.
11 દિવસથી હોમ ક્વોરન્ટીન
પાર્થે 12 જુલાઈના રોજ કોરોના વાઇરસ પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ તેના શોનું શૂટિંગ 4 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સેટને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો અને સિરિયલના તેના કો-એક્ટર્સે પણ સાવચેતી માટે કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો હતો જેમાં કરણ પટેલ, પૂજા બેનર્જી, એરિકા ફર્નાન્ડિઝ જેવા સ્ટાર્સ સામેલ હતા. તેમના કોરોના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા.
View this post on InstagramA post shared by Parth Samthaan (@the_parthsamthaan) on Jul 12, 2020 at 4:27am PDT
સ્ટોરી લાઈનમાં ફેરફાર કરવામાં આવ્યો
પાર્થના હોમ ક્વોરન્ટીન થયા બાદ શોના રાઇટરે અનુરાગના રોલમાં ફેરફાર કર્યો છે. અનુરાગ કામ માટે શહેરની બહાર છે એવું દેખાડવામાં આવશે. પાર્થનો 26 જુલાઈએ ફરીવાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ત્યાં સુધીમાં તેણે અગાઉ કરેલ શૂટિંગના શોટ્સ આગામી એપિસોડમાં યુઝ કરવામાં આવશે, પરંતુ પાર્થની ઓગસ્ટ પહેલાં ફરી કામ શરૂ કરવાની કોઈ સંભાવના નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/32O0MrQ
https://ift.tt/2WTOGdb
No comments:
Post a Comment
If you have any doubts please let me know!