સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સના માલિક અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું છે. વર્સોવા પોલીસ સ્ટેશનમાં અંદાજે સાડા 4 કલાક તેની પૂછપરછ કરવામાં આવી. જોકે, આદિત્યે તેના સ્ટેટમેન્ટમાં શું કહ્યું તે વિશે કોઈ માહિતી આવી નથી.
યશરાજનું નામ કેસમાં આ રીતે જોડાયું
- પોલીસને જ્યારે ખબર પડી કે યશરાજ સાથે સુશાંતે 3 ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો જેમાંથી એક ફિલ્મ શૂટિંગ શરૂ થયા પહેલાં જ બંધ કરી દેવામાં આવી હતી.
- 18 જૂનના રોજ યશરાજ ફિલ્મ્સ પાસે તે કોન્ટ્રાક્ટની કોપી મગાવવામાં આવી. 19 જૂને પ્રોડક્શન હાઉસને કોપી પોલીસને સોંપી દીધી હતી.
- કોપીમાં સુશાંત સાથે યશરાજની ત્રણ ફિલ્મોનો ઉલ્લેખ હતો જેમાં શુદ્ધ દેશી રોમાન્સ અને બ્યોમકેશ બક્ષી રિલીઝ થઇ ચૂકી છે. ત્રીજી ફિલ્મ પાની હતી જે ઓવર બજેટના કારણે બની ન શકી.
- 16 જૂનના રોજ યશરાજ ફિલ્મ્સના બે પૂર્વ અધિકારીઓ આશિષ સિંહ અને આશિષ પાટિલને પોલીસે આ કોન્ટ્રાક્ટને સાઈન કરવાની અને કેન્સલ કરવાની શરતો વિશે પૂછપરછ કરી હતી. કારણકે પોલીસ પાસે સાઈન કરેલ કોન્ટ્રાક્ટની કોપી હતી પણ સુશાંત આમાંથી નીકળ્યો તે કોન્ટ્રાક્ટની કોપી આપવામાં આવી ન હતી.
- 27 જૂનના રોજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ કરી કારણકે તેણે જ આ ત્રણેય ફિલ્મ માટે સુશાંતને કાસ્ટ કર્યો હતો.
આરોપ: સુશાંતે યશરાજને કારણે ફિલ્મો છોડી હતી
આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મ્સે સુશાંત સાથે જે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કર્યો હતો તેમાંથી પાની શેખર કપૂરના ડિરેક્શનમાં બનવાની હતી. શેખર પહેલા તેને હોલિવૂ઼ડ માટે બનાવવાના હતા, પરંતુ પછી નક્કી થયું કે ભારત માટે તેને બનાવવામાં આવશે, પરંતુ તેનું બજેટ વધી ગયું હોવાથી યશરાજે હાથ પાછા ખેંચી લીધા. અહીંથી સુશાંત અને યશરાજ ફિલ્મ્સના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી.
અત્યાર સુધીમાં 35થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે
સુશાંત કેસમાં મુંબઈ પોલીસે અત્યારે સુધીમાં 35થી વધુ લોકોની પૂછપરછ કરી છે. તેમાં યશરાજ ફિલ્મ્સના કેટલાક પૂર્વ અધિકારી, કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા, સુશાંતનો હાઉસ સ્ટાફ, મેનેજર, પીઆર ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર અને પરિવારના સભ્યો સામેલ છે. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પણ પૂછપરછ થઈ ગઈ છે. તેમજ શેખર કપૂરે પોતાનું નિવેદન મેઇલ કર્યું છે. કંગના રનૌતને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
CBI તપાસની માગ
સુશાંતના ફેન્સ મહારાષ્ટ્ર, બિહાર અને ભારત સરકાર પાસે આ કેસમાં CBI તપાસની માગ કરી રહ્યા છે. ભાજપના સાંસદ રૂપા ગાંગુલી અને અભિનેતા શેખર કપૂરે પણ આ માગ કરી છે. ભાજપના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબ્રમણ્યમ સ્વામી પણ આ કેમ્પેઈન સાથે જોડાયેલા છે. તેમણે એડવોકેટ ઇશકરણ સિંહ ભંડારીને તથ્યોની તપાસ અને કેસને આગળ વધારવાની જવાબદારી સોંપી છે.
એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહ પાસે CBI તપાસની માગ કરી છે. ગુરુવારે તેણે ટ્વીટમાં લખ્યું હતું, આદરણિય અમિત શાહ સર. હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી. તેના અચાનક નિધનને એક મહિનો થઈ ગયો છે. મને સરકાર પર વિશ્વાસ છે. જોકે, ન્યાયના હિતમાં, હું હાથ જોડીને આ મામલે CBI તપાસની માગ કરવા વિનંતી કરું છું. હું માત્ર એટલું સમજવા માગું છું કે એવું તો શું દબાણ હતું, જેના કારણે સુશાંતે આ પગલું ભર્યું.
જોકે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે CBI તપાસની અરજીને રિજેક્ટ કરતાં કહ્યું કે, તેની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે, મારી પાસે CBI તપાસની અરજીના ઘણા ટ્વીટ્સ અને કેમ્પેઈન આવ્યા છે. પણ મને નથી લાગતું કે CBI તપાસની જરૂર છે.
મુંબઈ પોલીસ આ પ્રકારના કેસ કરવા માટે પૂરતી કેપેબલ છે અને તેઓ કેસના દરેક પહેલુંને તપાસી રહ્યા છે. અત્યાર સુધી અમને તેમાં કોઈ ફાઉલ પ્લે જોવા મળ્યો નથી. જ્યારે કેસની તપાસ પૂરી થઇ જશે ત્યારે તપાસની માહિતી બધા સાથે શેર કરવામાં આવશે જ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hamGcX
https://ift.tt/2CiOpcK
No comments:
Post a Comment
If you have any doubts please let me know!