બિગ બી અમિતાભ બચ્ચન અને તેમના દીકરા અભિષેક બચ્ચન પછી હવે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. મા-દીકરીને હળવો તાવ આવતા રાતે 8:30 વાગ્યે એમ્બ્યુલન્સ નાણાવટી હોસ્પિટલ લઇ ગઈ હતી. 11 જુલાઈએ અમિતાભ અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સ્ટાફ અને ઘરના મેમ્બરનો રિપોર્ટ કરતા ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના સંક્રમિત હોવાની ખબર પડી હતી. તે સમયે તાવ કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થતી નહોતી. થોડા વર્ષો પહેલાં જુલાઈ મહિનામાં જ ઐશ્વર્યાને તાવ આવવાથી તે બીમાર પડી ગઈ હતી. બીમાર હોવા છતાં તેણે ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.
વર્ષ 2015માં ઐશ્વર્યા પોતાની કમબેક ફિલ્મ ‘જઝ્બા’નું શૂટિંગ કરી રહી હતી, તે દરમિયાન તેને વાઈરલ તાવ આવ્યો હતો. ઘરમાં નાનકડી દીકરી અને ખરાબ તબિયત હોવા છતાં તેણે આરામ ન કર્યો અને શૂટિંગ ચાલુ જ રાખ્યું. એટલું જ નહિ પણ તેણે અભિષેક બચ્ચનની ટીમ જયપુર પિંક પેન્થર્સની પ્રો-કબડ્ડી લીગમાં જઈને સપોર્ટ પણ કર્યો હતો.
‘ફિલ્મને કોઈ નુકસાન ન થાય એટલે કોઈ બ્રેક કે રજા ન લીધી’
કામ પ્રત્યેની લગન જોઈને પ્રોડક્શન હાઉસે ઐશ્વર્યાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વાઈરલ તાવ હોવા છતાં ઐશ્વર્યાએ શૂટિંગ ચાલુ રાખ્યું. ફિલ્મને કોઈ નુકસાન ન થાય એટલે તેણે કોઈ બ્રેક કે રજા ન લીધી. કામ પ્રત્યેનું તેનું સમર્પણ આશ્ચર્યજનક છે. ડિરેક્ટર સંજય ગુપ્તાની એક્શન ડ્રામા ફિલ્મ જઝ્બામાં ઐશ્વર્યાએ વકીલનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મમાં ઇમફાન ખાન, શબાના આઝ્મી અને જેકી શ્રોફ પણ લીડ રોલમાં હતા.
આ ઉપરાંત વર્ષ 2010માં વિપુલ શાહની ફિલ્મ એક્શન રિપ્લેના શૂટિંગ દરમિયાન પણ ઐશ્વર્યાને તાવ આવ્યો હતો. ત્યારે તબિયત વધારે ખરાબ થતા શૂટિંગ છોડીને ઘરે આવું પડ્યું હતું. અમિતાભ બચ્ચને ઐશ્વર્યાના સ્વાસ્થ્યને લઇને પોતાના બ્લોગમાં ચિંતા પણ વ્યક્ત કરી હતી.
રવિવારે મા-દીકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ઐશ્વર્યા અને દીકરી આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમણે ઘરમાં જ પોતાને ક્વૉરન્ટીન કર્યા હતાં, તે સમયે તાવ કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નહોતી. શુક્રવારે હળવો તાવ આવતા તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2DVVKiP
https://ift.tt/2COIaNn
No comments:
Post a Comment
If you have any doubts please let me know!