Saturday, July 4, 2020

સુશાંતના જીજાજીએ નેપોમીટર બનાવવા પાછળનો હેતુ જણાવ્યો, કહ્યું- નફો કરવા માટે બનાવવામાં આવી નથી

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડને 21 દિવસ થઈ ગયા છે. 14 જૂનના રોજ સુશાંતે પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. તે છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. સુશાંતના અવસાન બાદથી ચાહકો દાવો કરી રહ્યાં છે કે નેપોટિઝ્મને કારણે સુશાંતની આવી હાલત થઈ. આ વાતને ધ્યાનમાં લઈને સુશાંતના જીજાજી વિશાલ કીર્તિએ થોડાં સમય પહેલાં જ ‘નેપોમીટર’ નામની એક એપ લોન્ચ કરી હતી.

સુશાંતને આ રીતે શ્રદ્ધાંજલિ પાઠવી
વિશાલના મતે, આ એપથીનેપોસ્ટિક તથા ઈન્ડિપેન્ડેન્ટ બોલિવૂડ ફિલ્મ તથા ટીવી શો અંગે સ્કોર તથા રેટિંગ જાણવામાં મદદ મળશે. હવે વિશાલે આ એપના મૂળ ઉદ્દેશ અંગે વાત કરી હતી. વિશાલના મતે, આ એપથી સુશાંતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પ્રોફિટનો કોઈ હેતુ નથી.

વિશાલે ટ્વીટ કરી
વિશાલે ટ્વીટમાં કહ્યું હતું, અમે હજી પણ દુઃખી છીએ. અમારું ફોકસ હવે એકબીજાનું ધ્યાન રાખવામાં છે. મેં મારા ભાઈનો નેપોમીટરનો આઈડિયા એટલા માટે શૅર કર્યો કે જેથી લોકો પોતાની પસંદ અંગે જણાવી શકે. આ સુશાંતને નાનકડી શ્રદ્ધાંજલિ છે. આ કોઈના ફાયદા માટે બનાવવામાં આવી નથી. મહેરબાની કરીને ધીરજ રાખો, આ અમારી પહેલી પ્રાથમિકતા નથી.

25 જૂને એપ લોન્ચ કરી હતી
25 જૂને વિશાલે એપને લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. નેપોમીટરની ટ્વીટને રી-ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મારા ભાઈ મયુર કૃષ્ણે મારા સાળા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં બનાવી છે.’

કેવી રીતે કામ કરે છે નેપોમીટર?
નેપોમીટરમાં પાંચ કેટેગરીમાં (પ્રોડ્યૂસર, લીડ કાસ્ટ, સપોર્ટિંગ કાસ્ટ, ડિરેક્ટર તથા રાઈટર) એ વાત નક્કી કરવામાં આવશે કે ફિલ્મમાં કેટલાં લોકો નેપોટિઝ્મથી આવ્યા છે. નેપોમીટરમાં આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’ને 98 ટકા નેપોટિસ્ટિક રેટિંગ મળ્યું છે, આ ફિલ્મમાં ચાર કેટેગરીના લોકો નેપોટિઝ્મથી આવ્યા છે.

‘સડક 2’ની રેટિંગ
ડિરેક્ટરઃ મહેશ ભટ્ટ, પિતા (નાનાભાઈ ભટ્ટ, ડિરેક્ટર)

લીડ કાસ્ટ
આલિયા ભટ્ટ, પિતાઃ મહેશ ભટ્ટ (ડિરેક્ટર, પ્રોડ્યૂસર), માતાઃ સોની રાઝદાન (એક્ટ્રેસ)
સંજય દત્ત, પિતાઃ સુનીલ દત્ત (એક્ટર, પ્રોડ્યૂસર, રાજનેતા), માતાઃ નરગીસ (એક્ટ્રેસ)
આદિત્ય રોય કપૂર, ભાઈ- સિદ્ધાર્થ રોય કપૂર (પ્રોડ્યૂસર)
પૂજા ભટ્ટ, પિતાઃ મહેશ ભટ્ટ (ડિરેક્ટર, પ્રોડ્યૂસર)

સપોર્ટિંગ કાસ્ટ
ગુલશન ગ્રોવરઃ સેલ્ફ મેડ

રાઈટર
મહેશ ભટ્ટ, પિતા (નાનાભાઈ ભટ્ટ, ડિરેક્ટર)

બોલિવૂડમાંથી નેપોટિઝ્મ હટાવવા માટેની પહેલ
નેપોટિઝ્મ એપ શરૂ કરવાનો હેતુ બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મને હટાવવાનો પણ છે. નેપોમીટરના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે કે રેટિંગ 40 ટકા સુધી રહેશે તો તેને સારી માનવામાં આવશે, 70 ટકા સુધી જોવા લાયક તથા 98 ટકા હશે તો તેને નેપોટિસ્ટિક માનવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant's brother-in-law shared the purpose behind making the napometer, saying- not made for profit


from Divya Bhaskar https://ift.tt/38qlyPf
https://ift.tt/2ZEJhaa

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...