સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહના પતિ વિશાલ કીર્તિએ નેપોટિઝ્મ સામે લડવા માટે નેપોમીટર લોન્ચ કર્યો છે. 14 જૂને સુશાંત સિંહે મુંબઈના તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. રિપોર્ટ મુજબ સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. તેના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને કેમ્પિંગને લઈને ઘણા વિવાદ સર્જાયા છે. હવે આ સગાવાદ વિરુદ્ધ લડવા માટે વિશાલ સિંહે નેપોમીટરની જાહેરાત કરી છે.
વિશાલે ટ્વિટર પર લખ્યું કે, મારા સાળા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં મારા ભાઈ મયૂરેશ ક્રિષ્નાએ નેપોમીટરની શરૂઆત કરી છે. નેપોટિઝ્મ વિરુદ્ધ માહિતી સાથે લડીએ. ફિલ્મની ક્રૂ કેટલી ઈન્ડિપેન્ડન્ટ છે કે નેપોટિસ્ટિક તેનું રેટિંગ આપવામાં આવશે. જો નેપોમીટર હાઈ છે તો બોયકોટ બોલિવૂડ નેપોટિઝ્મનો સમય આવી ગયો છે. સુશાંતના ફેન્સે આ પહેલને વધાવી લીધી છે.
Created by my brother @mayureshkrishna in the memory of my brother in law @itsSSRhttps://t.co/sNSSJfQjy5
— vishal kirti (@vikirti) June 25, 2020
સુશાંતની બહેન શ્વેતા યુએસમાં ફેશન ડિઝાઈનર છે. તે ભાઈના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકી ન હતી. પરંતુ તે પટના આવી ત્યારબાદ ગંગામાં સુશાંતની અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સુશાંત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અત્યારસુધી અંદાજે 30 લોકોની પોલીસે પૂછપરછ કરી લીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31AyaBP
https://ift.tt/31BL9U0
No comments:
Post a Comment
If you have any doubts please let me know!