Saturday, July 18, 2020

પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે સુશાંત સિંહ રાજપૂતના આત્માને પૂછ્યું, ‘કેમ તમે જીવ લીધો?’ અવાજ આવ્યો, ‘ફેરફાર માટે’

અમેરિકન પેરાનોર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે દાવો કર્યો છે કે, તેણે સુશાંત સિંહ રાજપૂતનાઆત્મા સાથે સાથે વાતચીત કરી છે. આ કામ કરવા માટે સ્ટીવ પાસે સુશાંતના ચાહકોની ઘણી રિક્વેસ્ટ આવી હતી. ત્યારબાદ તેણે પોતાનાં ખાસ યંત્રોથી સુશાંતનાઆત્મા સાથે સ્પિરિટ બોક્સ સેશન કર્યું. સ્ટીવે ફેસબુક પર તેનો વીડિયો શેર કરીને લખ્યું કે, સુશાંતનોઆત્મા ઘણોમજબૂત હતોઅને તેની સાથે વાતચીત કરીને મને અવિશ્વસનીય અનુભવ થયો.

સ્ટીવે પોસ્ટમાં લખ્યું છે, ‘તેણે મને ડાયરેક્ટ જવાબ આપ્યા. પહેલાંથી ઘણા વધારે સ્પષ્ટ અને તેમના જ અવાજમાં. હું ટૂંક સમયમાં બીજુંસેશન કરીશ અને તેમાં બીજા ઘણા પ્રશ્નો પૂછીશ.’ 13 જુલાઈએ સ્ટીવે આ સેશન કર્યુંહતું. સ્ટીવ જોવા માગતો હતો કે સુશાંતનોઆત્મા આવે છે કે નહિ. તે સેશનમાં સુશાંતનોઆત્મા આવ્યોહોવાનો સ્ટીવે દાવો કર્યો છે.

સ્ટીવે અપલોડકરેલો યુટ્યુબ વીડિયો:

દાવો: સ્ટીવ અને સુશાંત વચ્ચે આ વાતચીત થઈ
સેશનમાં સ્ટીવે સુશાંતનું નામ લઇને પૂછ્યું કે, ‘તમને યાદ છે તમારું મૃત્યુ કેવી રીતે થયું?’ ત્યારબાદ એક અવાજ આવે છે. સ્ટીવે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તેના ડિવાઈસમાંથી અંગ્રેજી ભાષામાં અવાજ આવે છે, ‘અહિ ઘણો પ્રકાશ છે, તેમને કહો મને પ્રકાશ મળી ગયો. હવે આ રોશની ઓછી થઇ રહી છે. તેઓ તમને જોઈ રહ્યા છે. હું ખરેખર ભગવાનને મળવા માગતો હતો. તમે જાણો છો હું તેમને શું કહેવા માગું છું.

દાવો: સુશાંતે આત્મહત્યાના પ્રશ્નનો જવાબ આપ્યો
સ્ટીવે સુશાંતની આત્માને સૌથી અઘરો પ્રશ્ન પૂછ્યો કે, ‘તમે તમારો જીવ કેમ લીધો?’ તો ડિવાઈસમાંથી અવાજ આવ્યો-‘ચેન્જ માટે’. વીડિયોના અંતમાં સ્ટીવે કહ્યું કે, સુશાંત એકલો નહોતો, તેની પાસે અન્ય બે આત્માઓ પણ હતા. તેમાંથી એક પુરુષ અને એક મહિલા હતી.

સુશાંતની આત્મા સાથે વાત કરનારો સ્ટીવ કોણ છે:
સ્ટીવ છેલ્લાં 10 વર્ષથી આત્માઓ સાથે વાત કરે છે. તેણે એક ડિવાઈસ ‘એસ્ટ્રલ ડોરવે’ પણ બનાવ્યું છે. આ ડિવાઈસ સ્ટીવ જે આત્માને બોલાવે છે તે આત્માનો અવાજ સંભળાવે છે. સ્ટીવ પેટ્રિક સ્વેઝ અને માઈકલ જેક્સન સાથે પણ આત્માનું સેશન કરી ચૂક્યો છે. તેનો વીડિયો યુટ્યુબ પર છે. સ્ટીવે આત્મા સાથે વાત કરવા માટે સ્પેશિયલ યંત્ર બનાવ્યું છે તેને Spirit Communications Device એટલે કે SCD કહે છે.

સુશાંતનાઆત્મા સાથે આની પહેલાં પણ લોકોએ વાત કરી હોવાનો દાવો કર્યો છે
સુશાંતના મૃત્યુ પછી તેની આત્મા સાથે વાતચીત કરવાનો દાવો બે લોકોએ કર્યો છે. લૂના વેદિકા નામની સંસ્થા ચલાવતી ડૉ. સશિનાએ 28 જૂનની સવારે પોતાની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો, તેમાં સુશાંતનાઆત્મા સાથેની મુલાકાત વિશે જણાવ્યું હતું.

આ ઉપરાંત સુશાંતના ફેન ધોત્રે ગુરુજીએ યુટ્યુબ ચેનલ પર દાવો કર્યો હતો કે, તેમણે સુશાંતનાઆત્મા સાથે વાત કરી છે. તેણે પેરાનોર્મલ એક્સપર્ટ શોન લાર્સન અને ટ્રાસા લાર્સન સાથે વાત કરી હતી.વીડિયોમાં તેણે કહ્યું કે, સુશાંતનું મર્ડર કરનારા પુરુષે કાળા રંગના કપડાં પહેર્યાં હતાં.

સુશાંત સિંહનો સુસાઈડ કેસ
મુંબઈ પોલીસ સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં હજુ લોકોનું સ્ટેટમેન્ટ લઇ રહી છે. 35 લોકોની પૂછપરછ પછી તેમણે સુશાંતના મનોચિકિત્સક કેસી ચાવડાની પણ પૂછપરછ કરી. સૂત્રો પ્રમાણે, પોલીસ આવનારા અઠવાડિયામાં ફાઈનલ તપાસ રિપોર્ટ ફાઈલ થઇ શકે છે. તો બીજી તરફ કંગના રણૌત અને શેખર સુમન પછી સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ પણ આ કેસ માટે CBIની માગ કરી છે.
(નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’ આ વીડિયોમાં સુશાંતનોઆત્મા હોવાની વાતને સમર્થન આપતું નથી, આ સમાચાર માત્ર સુશાંત પ્રત્યે ચાહકોના પ્રેમને વ્યક્ત કરવા માટે લખ્યા છે. કારણ કે, સ્ટીવે સુશાંતના ચાહકની વિનંતી પર એક ખાસ સેશન કર્યુંહતું)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Paranormal Expert Steve Huff Asked Sushant Singh Rajput Spirit Why He Took His Life So The Sound Came From Astral Doorway; For Change


from Divya Bhaskar https://ift.tt/3jitUNZ
https://ift.tt/3h7BokI

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...