Saturday, July 18, 2020

ઐશ્વર્યા અને આરાધ્યાની તબિયતમાં સુધારો, બંનેને નાણાવટી હોસ્પિટલમાં અભિષેક- અમિતાભવાળા VIP વિંગમાં શિફ્ટ કરાયા

શુક્રવારે મોડી રાત્રે ઐશ્વર્યા રાય અને તેની દીકરી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડના તે જ VIP વિંગમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા જ્યાં પહેલેથી અમિતાભ અને અભિષેકની સારવાર ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર, હોસ્પિટલ લઇ જતી વખતે ઐશ્વર્યાને વધુ તાવ હતો અને આરાધ્યાને ઓછો તાવ હતો. જોકે, હાલ બંનેની તબિયતમાં સુધારો છે એવી માહિતી છે.

સારવાર પછી તાવ ઓછો થયો
સૂત્રોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ઐશ્વર્યાનો તાવ ઓછો થયો અને તેને ગળાના ઇન્ફેક્શનમાં પણ હવે રાહત છે. તેની તબિયત સ્થિર છે. આરાધ્યાને તાવ નથી. બંનેને આઇસોલેશન વોર્ડમાં ડો. બર્વે અને ડો. અંસારીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ બંને ડોક્ટર્સ જ ઘણા સમયથી બચ્ચન પરિવારના મેડિકલ કન્સલ્ટન્ટ છે.

શુક્રવારે ઐશ્વર્યા આરાધ્યાની તબિયત બગડી હતી
ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ 12 જુલાઈ રવિવારે પોઝિટિવ આવ્યો હતો. બંનેમાં હળવા લક્ષણો દેખાયા હતા અને અન્ય કોઈ તકલીફ ન હતી. તે સમયે તેમને તાવ પણ ન હતો અને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડતી ન હતી. માટે કોવિડ -19ના ક્વોરન્ટીન નિયમો મુજબ તેમને ઘરે જ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શુક્રવારે અચાનક બંનેની તબિયત બગડતા પરિવાર ચિંતિત થઇ ગયો અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લીધો. સાંજે અંદાજે 6 વાગ્યે પહેલા આરાધ્યાને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારબાદ 8:30 વાગ્યે ઐશ્વર્યાને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેનો સિટી સ્કેન કરવામાં આવ્યો હતો.

કોરોનાના લક્ષણો
ગયા શનિવારે અમિતાભનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને કોરોનાના હળવા લક્ષણ હતા. તેમને તાવ હતો અને ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. અભિષેક બચ્ચન એકદમ એસિમ્પ્ટોમેટિક હતા અને કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા. તેમ છતાં સાવચેતી માટે તે હોસ્પિટલમાં એડમિટ થઇ ગયો.
ગયા રવિવારે ઐશ્વર્યા અને આરાધ્યા પણ એસિમ્પ્ટોમેટિક હતા અને તેમનામાં પણ કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતા અને તેમને કોઈ તકલીફ ન હતી. આખા પરિવારમાં માત્ર જયા બચ્ચનના જ બે વખત ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

આજે હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેકનો આઠમો દિવસ
અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં એડમિટ થયાને 7 દિવસ પસાર થઇ ગયા છે. ગયા શનિવારે હળવા લક્ષણો દેખાયા બાદ 44 વર્ષીય અભિષેક જાતે ગાડી ચલાવીને પિતા સાથે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા. બંનેએ કોવિડ પોઝિટિવ હોવાની વાત ટ્વિટર પર લખી હતી.

અમિતાભે લખ્યું હતું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં એડમિટ થઇ ગયો છું. મારા પરિવાર અને સ્ટાફના ટેસ્ટ થયા છે. તેમના રિપોર્ટની રાહ છે. છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ લોકોને વિનંતી છે કે તેઓ તેમનો ટેસ્ટ કરાવી લે.

અભિષેકે પણ સોશિયલ મીડિયા પર કોરોના પોઝિટિવ હોવાની વાત શેર કરી લોકોને પેનિક ન થવા માટે અપીલ કરી હતી. તેણે લખ્યું હતું, આજે અમે બંને, હું અને મારા પિતા કોરોના પોઝિટિવ આવ્યા છીએ. અમારા બંનેમાં હળવા લક્ષણો હતા અને અમે હોસ્પિટલમાં એડમિટ થઇ ગયા છીએ. અમે દરેક આવશ્યક ઓથોરિટીઝને જાણ કરી દીધી છે અને અમારા પરિવાર અને સ્ટાફના સભ્યોના ટેસ્ટ થઇ રહ્યા છે. હું બધાને શાંત રહેવાની અને પેનિક ન થવાની વિનંતી કરું છું. આભાર.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલમાં એડમિટ, જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ અને ઘરે જ આઇસોલેટ છે


from Divya Bhaskar https://ift.tt/3eHIfQg
https://ift.tt/2WxoTqQ

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...