Tuesday, July 21, 2020

પોલીસ ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદની પૂછપરછ કરશે, એક્ટરની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપવાનો આક્ષેપ

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની પોલીસ તપાસ ચાલુ છે. બાંદ્રા પોલીસ દરેક એન્ગલથી આ કેસથી તપાસ કરી રહી છે. આ દરમિયાન એવી વાત પણ સામે આવી છે કે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને પોલીસ પૂછપરછ માટે બોલાવશે.

પોલીસે સમન્સ પાઠવ્યું
પોલીસે રાજીવ મસંદને સમન્સ પાઠવ્યું છે. રાજીવ મસંદે સુશાંતને લઈ અનેક આર્ટિકલ લખ્યા હતા. આ સાથે જ સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ પણ આપ્યું હતું. માનવામાં આવે છે કે રાજીવે કેટલાંક લોકોના કહેવા પર સુશાંતની ફિલ્મને નેગેટિવ રેટિંગ આપ્યું હતું. પોલીસ આ જ અંગે પૂછપરછ કરવા માગે છે.

હાઈપ્રોફાઈલ લોકોની પૂછપરછ થઈ
આ પહેલાં પોલીસે આદિત્ય ચોપરા તથા સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી હતી. શેખર કપૂરે પોતાનું નિવેદન ઈમેલ કર્યું છે. 14 જૂનના રોજ સુશાંતે આત્મહત્યા કરી હતી. જોકે, પોલીસ તપાસમાં હજી પણ એ વાત સામે આવી નથી કે સુશાંતે આખરે આત્મહત્યા કેમ કરી. તો બીજી બાજુ ચાહકો તથા કંગના રનૌત, શેખર સુમન તથા સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીએ CBI તપાસની માગણી કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police to interrogate film critic Rajiv Masand, accused of giving negative rating to actor's film


from Divya Bhaskar https://ift.tt/2CXx0pC
https://ift.tt/32zqLTY

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...