વર્ષ 2001માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પ્યાર તૂને ક્યા કિયા’ના ડિરેક્ટર રજત મુખર્જીનું આજે એટલે કે 19 જુલાઈ, રવિવારના રોજ જયપુરમાં અવસાન થયું હતું. રજત મુખર્જી લાંબા સમયથી બીમાર હતા અને તેમની કિડની તથા ફેફસાની સારવાર ચાલતી હતી. રજત મુખર્જીએ પોતાની કરિયરમાં ‘પ્યાર તૂને ક્યા કિયા’ ઉપરાંત ‘લવ ઈન નેપાલ’, ‘ઉમ્મીદ’, ‘રોડ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે ‘પ્યાર તૂને ક્યા કિયા’માં ફરદીન ખાન તથા ઉર્મિલા માતોંડકર હતાં.
સૂત્રોના મતે, લૉકડાઉનની જાહેરાત થયા બાદ તેઓ પોતાના હોમટાઉન જયપુર ગયા હતા. લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી અને મે મહિનામાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ડાયલિસિસ પર હતા. રજત મુખર્જીના અવસાનના સમાચાર સાંભળીને બોલિવૂડ એક્ટર મનોજ વાજપેયી, ડિરેક્ટર હંસલ મહેતા તથા અનુભવ સિંહાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
મનોજે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મારા મિત્ર તથા ‘રોડ’ના ડિરેક્ટર, રજત મુખર્જીનું આજે સવારે જયપુરમાં લાંબી બીમારી બાદ અવસાન થયું. રજતની આત્માને શાંતિ મળે. અમને હજી પણ વિશ્વાસ નથી કે હવે અમે ક્યારેય મળી નહીં શકીએ અથવા પોતાના કામની ક્યારેય ચર્ચા નહીં કરી શકીએ. તે જ્યાં પણ રહે ખુશ રહે.’
My friend and director of Road ,Rajat Mukherjee passed away in the early hours today in Jaipur after a long battle with illness!!! Rest in peace Rajat !!Still can’t believe that we will never meet or discuss our work ever again.khush reh jaha bhi reh.🙏🙏🙏
— manoj bajpayee (@BajpayeeManoj) July 19, 2020
હંસલ મહેતાએ કહ્યું હતું, ‘હમણાં જ એક પ્રિય મિત્રના અવસાનના સમાચાર મળ્યા. ‘પ્યાર તૂને ક્યા કિયા’ તથા ‘રોડ’ના રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના એક મિત્ર હતાં. અનેક ભોજન, ઓલ્ડ મોન્કની અનેક બોટલ પૂરી કરી અને હવે તે બીજી દુનિયામાં પૂરી કરશે. પ્રિય મિત્ર તારી હંમેશાં યાદ આવશે.’
Just got news about the passing away of a dear friend. Rajat Mukherjee director of Pyaar Tune Kya Kiya and Road was a friend from our early, early struggles in Bombay. Many meals, many bottles of Old Monk consumed. Many more to consume in another world. Will miss you dear friend.
— Hansal Mehta (@mehtahansal) July 19, 2020
અનુભવ સિંહાએ કહ્યું હતું, ‘વધુ એક મિત્ર જલ્દી જતો રહ્યો. ડિરેક્ટર રજત મુખર્જી (‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘રોડ’) છેલ્લાં કેટલાંય સમયથી જયપુરમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો સામનો કરતા હતા.’
Another friend gone too soon. Director Rajat Mukherjee (Pyar Tune Kya Kiya, Road). He was dealing with multiple health situations past few months in Jaipur. Go well mate.
— Anubhav Sinha (@anubhavsinha) July 19, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39i0qLy
https://ift.tt/2OFvqLK
No comments:
Post a Comment
If you have any doubts please let me know!