સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં શનિવારે મુંબઈ પોલીસે યશરાજ ફિલ્મ્સના માલિક અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરાની સાડા 4 કલાક પૂછપરછ કરી. વર્સોવા પોલીસ સ્ટેશનમાં થયેલ આ પૂછપરછમાં આદિત્યે સ્વીકાર્યું કે, સુશાંત સાથેની તેની ફિલ્મ પાની શેખર કપૂર સાથેના ક્રિએટિવ ડિફરન્સને કારણે બની ન શકી. આ ફિલ્મ શેખર કપૂર ડિરેક્ટ કરવાના હતા. એવું પણ જણાવ્યું કે, રિયા ચક્રવર્તી સુશાંત સાથે બે વખત યુરોપ ટ્રિપ પર ગઈ હતી અને તેનો બધો ખર્ચો સુશાંતે ભોગવ્યો હતો.
સુશાંત સાથે પાની વિશે ઘણીવાર વાત થઇ હતી
સુશાંતે યશરાજ સાથે ત્રણ ફિલ્મો શુદ્ધ દેશી રોમાન્સ, ડિટેકટિવ બ્યોમકેશ બક્ષી અને પાનીની ડીલ કરી હતી. પરંતુ પાની ફ્લોર પર આવતા પહેલાં જ બંધ થઇ ગઈ.
આ થવા પાછળ આદિત્યે એવું કારણ આપ્યું કે, સુશાંત સાથે મારી પાનીને લઈને ઘણીવાર વાત થઇ હતી. પરંતુ આ ફિલ્મને લઈને મારી અને શેખરની અન્ડરસ્ટેન્ડિંગ મેચ ન થઇ. અમારા વચ્ચેના ક્રિએટિવ ડિફરન્સને કારણે આ ફિલ્મ બની ન શકી. આ ફિલ્મ માટે સુશાંતે ઘણી મહેનત કરી હતી. આ ફિલ્મ માટે તેણે બીજી ઘણી ફિલ્મની ઓફર રિજેક્ટ કરી દીધી હતી.
પાની માટે સંજય લીલા ભણસાલીની ફિલ્મો છોડી હતી
અંદાજે 10 દિવસ પહેલાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોલીસને આપેલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, સુશાંતે પાની ફિલ્મ માટે તેની ત્રણ ફિલ્મોની ઓફર નકારી દીધી હતી. કારણકે તે ડિરેક્ટર શેખર કપૂરની ફિલ્મ પાની માટે ઘણો એક્સાઈટેડ હતો.
પાની ફિલ્મ બંધ થયા બાદ સુશાંત દુઃખી હતો
શેખર કપૂરે તેનું સ્ટેટમેન્ટ મુંબઈ પોલીસને મેલ કરી દીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં લખ્યું હતું કે, પાની બંધ થવાને કારણે સુશાંત ઘણો દુઃખી હતો. તેને ઘણો આઘાત લાગ્યો હતો. તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. કારણકે આ ફિલ્મ માટે તેને ઘણા વર્ષ આપ્યા હતા અને ઘણી મોટી ઓફર પણ ઠુકરાવી દીધી હતી.
આદિત્યે સુશાંત- રિયા વિશે આવું કહ્યું
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આદિત્યે સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, એડ શૂટ માટે રિયા ચક્રવર્તી બે વખત યુરોપ ગઈ હતી. આ દરમ્યાન શૂટનો ખર્ચો છોડીને તમામ ખર્ચો સુશાંતે ઉઠાવ્યો હતો. સૂત્રોની માહિતી અનુસાર 11 મહિનામાં રિયાએ સુશાંતના અકાઉન્ટમાંથી ઘણા પૈસા ખર્ચ્યા હતા. મુંબઈ પોલીસ આ રકમનો ચોક્કસ આંકડો જાણવા ઈચ્છે છે. જાણકારી અનુસાર યુરોપ ટૂર દરમ્યાન રિયાએ સુશાંતના ક્રેડિટ કાર્ડથી શોપિંગ કર્યું હતું.
બાંદ્રા બદલે વર્સોવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કેમ?
મુંબઈ પોલીસે અત્યારસુધી આ કેસમાં 35થી વધુ લોકોની પૂછપરછ કરી લીધી છે અને બધાને બાંદ્રા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આદિત્યે તેનું સ્ટેટમેન્ટ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આપ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મીડિયા ટ્રાયલથી બચવા આદિત્ય ચોપરાએ બાંદ્રા પોલીસને વિનંતી કરી હતી કે તેની પૂછપરછ કોઈ અન્ય જગ્યાએ કરવામાં આવે.
આદિત્યની ઓફિસ જુહુ વિસ્તારમાં છે, જે વર્સોવા પોલીસ સ્ટેશનથી નજીક છે. માટે પોલીસે તેની પૂછપરછ માટે આ પોલીસ સ્ટેશન પસંદ કર્યું. આ કેસ ને હેન્ડલ કરનાર પોલીસ ઓફિસર્સ જ વર્સોવા સ્ટેશન આદિત્યનું સ્ટેટમેન્ટ લેવા પહોંચ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BaYSGm
https://ift.tt/30luMIS
No comments:
Post a Comment
If you have any doubts please let me know!