Thursday, July 2, 2020

ભણસાલીને મુંબઈ પોલીસનું સમન્સ, કંગના-શેખર કપૂરનું પણ સ્ટેટમેન્ટ લેવાશે

મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું છે.

પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરશે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના મતે, કંગના રનૌત તથા ડિરેક્ટર શેખર કપૂરની આ કેસમાં નિવેદન આપવા માટે બોલાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. માનવામાં આવે છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતો અને છેલ્લાં છ મહિનાથી તેની સારવાર ચાલતી હતી.

શા માટે સંજય લીલા ભણસાલીની પૂછપરછ?
સૂત્રોના મતે, સંજય લીલા ભણસાલીએ સુશાંતને ‘રામ-લીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મ ઓફર કરી હતી. ‘રામ-લીલા’ સમયે સુશાંત યશરાજ બેનર સાથે જોડાયેલો હતો અને તેથી જ તેણે આ ફિલ્મ સાઈન કરી નહોતી. ‘બાજીવર મસ્તાની’સમયે સુશાંત યશરાજ બેનરની ફિલ્મ ‘પાની’માં વ્યસ્ત હતો અને તેથી જ તેણે આ સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’સ્વીકારી નહીં. ઉલ્લેખનીય છે કે સુશાંતે ‘પાની’ માટે અંદાજે સાત મહિનાની ટ્રેનિંગ લીધી હતી. માનવામાં આવે છે કે પોલીસે આ જ કારણોસર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવા માગે છે કે સુશાંતે શા માટે આ ફિલ્મમાં કામ ના કરી શક્યો.

શેખર કપૂર તથા કંગનાએ સુશાંતને લઈ વાત કરી હતી
સુશાંતના નિધન બાદ શેખર કપૂરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે તું કયા દર્દમાંથી પસાર થયો હતો. મને ખ્યાલ છે કે તે લોકોની વાત અને તેમણે તને કંઈ હદે નિરાશ કર્યો હતો. તું મારા ખભે માથું મૂકીને રડતો હતો. કાશ, છેલ્લાં છ મહિના હું તારી આસપાસ હોત. કાશ, તું મારા સુધી પહોંચી શકતો હોત. તારી સાથે જે થયું તે એ લોકોના કર્મોનું ફળ છે, તારું નહીં’કંગના રનૌતે 14 જૂનના રોજ આક્ષેપ કર્યો હતો કે સુશાંતના સુસાઈડની પાછળ કરન જોહર તથા તેની નેપોટિઝ્મ ગેંગ છે. શેખર તથા કંગનાએ સુશાંતને લઈ જે વાત કરી હતી, તેને લઈ પોલીસે આ બંનેને નિવેદન આપવા માટે બોલાવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mumbai Police has summoned Sanjay Leela Bhansali for questioning in sushant suicide case


from Divya Bhaskar https://ift.tt/2D2Mr01
https://ift.tt/3gkn9sG

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...